માળિયા-વનાળિયા ગ્રામ પંચાયત ખાતે શાળાના નવનિર્મિત ભવનના ધારાસભ્યની હાજરીમાં ખાતમુહૂર્ત કરાયું
મોરબીના ખોખરા હનુમાન હરીહર ધામ ખાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીના હસ્તે સંત નિવાસનું ભૂમિ પૂજન કરાયું
SHARE
મોરબીના ખોખરા હનુમાન હરીહર ધામ ખાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીના હસ્તે સંત નિવાસનું ભૂમિ પૂજન કરાયું
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસે ખોખરા હનુમાન હરીહર ધામ ખાતે સંત નિવાસના ભૂમિ પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને મધ્યપ્રદેશ સરકારના શહેરી વિકાસ વિભાગના મંત્રી કૈલાશ વિજય વર્ગીય હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે આ ભૂમિ પૂજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારે મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજી, ઈન્દોરના ધારાસભ્ય રમેશ મંદોરા, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના અનેક રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ સંતો મહંતો હાજર રહ્યા હતા આ તકે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીએ જણાવ્યું હતું કે, ખોખરા ધામની ભૂમિ એ ધર્મની ભૂમિ છે અને ધાર્મિક કાર્ય સાથે સામાજિક અને સેવાકીય કાર્યો પણ ત્યાં કરવામાં આવી રહ્યા છે ત્યારે માનસિક રીતે વિકલાંગ પછી અનાથ સાધુઓને પણ ત્યાં રહેવા માટે સંત નિવાસ બનાવવામાં આવી રહ્યું છે તે અનેક સાધુ સંતો માટે આશીર્વાદ સમાન બની રહેશે આ તકે પત્રકારોએ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીને ઉજ્જૈનમાં બનેલી ઘટના વિશે પૂછ્યું હતું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ઉજ્જૈનમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને જે તોડવાની ઘટના બની હતી તેમાં આરોપીઓની સ્થાનિક પ્રશાસન દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે અને આગામી સમયમાં ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલ અને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવે તેના માટેના પ્રયાસો કરવામાં આવશે