મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન હરીહર ધામ ખાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીના હસ્તે સંત નિવાસનું ભૂમિ પૂજન કરાયું


SHARE









મોરબીના ખોખરા હનુમાન હરીહર ધામ ખાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીના હસ્તે સંત નિવાસનું ભૂમિ પૂજન કરાયું

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસે ખોખરા હનુમાન હરીહર ધામ ખાતે સંત નિવાસના ભૂમિ પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને મધ્યપ્રદેશ સરકારના શહેરી વિકાસ વિભાગના મંત્રી કૈલાશ વિજય વર્ગીય હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે આ ભૂમિ પૂજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારે મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજી, ઈન્દોરના ધારાસભ્ય રમેશ મંદોરા, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના અનેક રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ સંતો મહંતો હાજર રહ્યા હતા આ તકે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીએ જણાવ્યું હતું કે, ખોખરા ધામની ભૂમિ એ ધર્મની ભૂમિ છે અને ધાર્મિક કાર્ય સાથે સામાજિક અને સેવાકીય કાર્યો પણ ત્યાં કરવામાં આવી રહ્યા છે ત્યારે માનસિક રીતે વિકલાંગ પછી અનાથ સાધુઓને પણ ત્યાં રહેવા માટે સંત નિવાસ બનાવવામાં આવી રહ્યું છે તે અનેક સાધુ સંતો માટે આશીર્વાદ સમાન બની રહેશે આ તકે પત્રકારોએ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીને ઉજ્જૈનમાં બનેલી ઘટના વિશે પૂછ્યું હતું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ઉજ્જૈનમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને જે તોડવાની ઘટના બની હતી તેમાં આરોપીઓની સ્થાનિક પ્રશાસન દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે અને આગામી સમયમાં ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલ અને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવે તેના માટેના પ્રયાસો કરવામાં આવશે






Latest News