છેલ્લા એક માહિનામાં મોરબી પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ મોરબીના ઝીકિયારી ગામ નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં વાંકાનેરમાં ઘર પાસે પાર્ક કરેલ 16 લાખની કિંમતની સ્કોર્પિયો ગાડીની ચોરી વાંકાનેરમાં વગર વાંકે વૃદ્ધને ત્રણ શખ્સોએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી હળવદના યુવાને વ્યાજે લીધેલ રૂપિયા-વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબીના દંપતી સહિત 4 સામે ફરિયાદ વાંકાનેરના જાલીડા ગામ નજીક કારખાના પાસેથી યુવાનનો મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે તાલુકા શાળામાં ભારત વિકાસ પરિષદ દ્વારા કુમારિકા સ્વાસ્થ્ય શિબિર યોજાઇ


SHARE













મોરબીના રવાપર ગામે તાલુકા શાળામાં ભારત વિકાસ પરિષદ દ્વારા કુમારિકા સ્વાસ્થ્ય શિબિર યોજાઇ

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા અને આઈ.એમ.એ. મોરબી તથા એમ.ઓ.જી.એસ. દ્વારા કુમારિકાઓ માટે એક સ્વાસ્થ શિબિરનું આયોજન રવાપર તાલુકા શાળા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં કુમારિકાઓને  નિઃશુલ્ક હિમોગ્લોબીન તપાસ કરીને દવા આપવામાં  આવી હતી. આ શિબિરમાં ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના અધ્યક્ષ ડો. જયેશભાઈ પનારા એ સમતોલ અને પૌષ્ટિક આહાર કેવી રીતે લેવો તેની માહિતી તથા એમ.ઓ.જી.એસ.ના  ડો ભૂમીબહેન ઝાકાસણિયાએ બહેનોમાં એનિમિયા કેવી રીતે થાય છે તેની અસર અને તેના ઉપાયો વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના સચીવ હિંમતભાઈ મારવાણિયા, કાર્યક્રમ સંયોજક હિરેનભાઇ ધોરીયાણી તથા રાકેશભાઈ મેરજા ઉપસ્થિત રહયા હતા. અને રવાપર તાલુકા પ્રાથમિક શાળાના આચાર્ય હિરેનભાઈ ધોરિયાણી અને શિક્ષકો ફુલતરિયા નયનાબહેન, પટેલ કલ્પનાબેન તેમજ બરસરા મુકેશભાઈ વગેરે  ઉપસ્થિત  રહી  બાળાનો ઉત્સાહ વધાર્યો  હતો, આઈ.એમ.એ. મોરબી તથા  ડો વિરલ લહેરુ પેથોલોજી લેબ. વાળાએ બાળાઓની નિ:શુલ્ક લોહીનું  પરીક્ષણ કરી આર્થિક સહયોગ આપેલ હતો આ કાર્યક્રમની અંતમાં ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવ્યો  હતો






Latest News