મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે તાલુકા શાળામાં ભારત વિકાસ પરિષદ દ્વારા કુમારિકા સ્વાસ્થ્ય શિબિર યોજાઇ


SHARE















મોરબીના રવાપર ગામે તાલુકા શાળામાં ભારત વિકાસ પરિષદ દ્વારા કુમારિકા સ્વાસ્થ્ય શિબિર યોજાઇ

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા અને આઈ.એમ.એ. મોરબી તથા એમ.ઓ.જી.એસ. દ્વારા કુમારિકાઓ માટે એક સ્વાસ્થ શિબિરનું આયોજન રવાપર તાલુકા શાળા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં કુમારિકાઓને  નિઃશુલ્ક હિમોગ્લોબીન તપાસ કરીને દવા આપવામાં  આવી હતી. આ શિબિરમાં ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના અધ્યક્ષ ડો. જયેશભાઈ પનારા એ સમતોલ અને પૌષ્ટિક આહાર કેવી રીતે લેવો તેની માહિતી તથા એમ.ઓ.જી.એસ.ના  ડો ભૂમીબહેન ઝાકાસણિયાએ બહેનોમાં એનિમિયા કેવી રીતે થાય છે તેની અસર અને તેના ઉપાયો વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના સચીવ હિંમતભાઈ મારવાણિયા, કાર્યક્રમ સંયોજક હિરેનભાઇ ધોરીયાણી તથા રાકેશભાઈ મેરજા ઉપસ્થિત રહયા હતા. અને રવાપર તાલુકા પ્રાથમિક શાળાના આચાર્ય હિરેનભાઈ ધોરિયાણી અને શિક્ષકો ફુલતરિયા નયનાબહેન, પટેલ કલ્પનાબેન તેમજ બરસરા મુકેશભાઈ વગેરે  ઉપસ્થિત  રહી  બાળાનો ઉત્સાહ વધાર્યો  હતો, આઈ.એમ.એ. મોરબી તથા  ડો વિરલ લહેરુ પેથોલોજી લેબ. વાળાએ બાળાઓની નિ:શુલ્ક લોહીનું  પરીક્ષણ કરી આર્થિક સહયોગ આપેલ હતો આ કાર્યક્રમની અંતમાં ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવ્યો  હતો






Latest News