મોરબીના રવાપર ગામે તાલુકા શાળામાં ભારત વિકાસ પરિષદ દ્વારા કુમારિકા સ્વાસ્થ્ય શિબિર યોજાઇ
મોરબી નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બાળકનો મૃતદેહ મચ્છુ-૨ ડેમમાંથી મળ્યો
SHARE
મોરબી નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બાળકનો મૃતદેહ મચ્છુ-૨ ડેમમાંથી મળ્યો
મોરબીમાં લખધીરપર રોડ ઉપર નર્મદાની કેનાલમાં બાળક ડૂબી ગયો હતો જે પાણીમાં તણાઇને મોરબી નજીકના મચ્છુ-૨ ડેમ સુધી આવી ગયો હતો તેની બોડીને ફાયરની ટીમે બાહર કાઢ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરલે છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપર રોડ ઉપર આવેલ નર્મદાની કેનાલમાં રવિવારે ડૂબી ગયો હતો જેથી કરીને આ બનાવની ફાયરની ટીમ અને પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી બાળકની કેનાલમાં શોધખોળ કરવામાં આવી રહી હતી તેવામાં કેનાલના વહેતા પાણીની સાથે બાળકનો મૃતદેહ મોરબી નજીકના મચ્છુ-૨ ડેમ સુધી આવી ગયો હતો જેની જાણ ફાયરની ટીમને થયેલ હતી જેથી કરીને ફાયર વિભાગના અધિકારી દેવેન્દ્રસિંહ જાડેજા સહિતની ટિમ દ્વારા પહોચી હતી અને ત્યાથી બોડીને બહાર કાઢીને સિવિલે ખસેડાયો હતો અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશનેથી મળતી માહિતી મુજબ મૃતક બાળકનું નામ અલખરામ તુલસીરામ (૧૩) રહે. હાલ લ્યુમેન સિરામિક મૂળ રહે ઉત્તરપ્રદેશ વાળા હોવાની સામે આવ્યું છે જેથી કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે









