માળીયા (મી)ના સરવડ-તરઘરી ગામના સરપંચોને પુનઃ સ્થાપિત કરવા આદેશ
SHARE
માળીયા (મી)ના સરવડ-તરઘરી ગામના સરપંચોને પુનઃ સ્થાપિત કરવા આદેશ
માળીયા (મી.) તાલુકાની સરવડ ગ્રામ પંચાયત અને તરઘરી ગ્રામ પંચાયતના સરપંચને જે તે સમયે હોદા ઉપરથી દૂર કરવાનો આગાઉ આદેશ કરવામાં આવ્યો હતો તેની સામે અપીલ અરજી કરવામાં આવી હતી જેથી કેસ રીમાન્ડ (પરત) કરવામાં આવેલ હતા અને તે બંને સરપંચોને પુનઃ સ્થાપિત કરવા આદેશ કરવામાં આવેલ છે
માળીયા (મી.) તાલુકાની સરવડ ગ્રામ પંચાયતના સરપંચ નવનીતભાઈ શાંતીલાલ સરડવા અને તરઘરી ગ્રામ પંચાયતના સરપંચ સાગર અંબારામભાઈ કૂલતરીયાને કચેરીના આદેશથી ગુજરાત પંચાયત અધિનિયમ – ૧૯૯૩ ની કલમ – ૫૯ (૧) હેઠળ હોદ્દા પરથી મોકૂફ રાખવાનો હુકમ કરવામાં આવેલ હતો જે હુકમથી નારાજ થઈ વિવાદીએ હુકમ વિરુદ્ધ અધિક વિકાસ કમિશ્નર ગાંધીનગર સમક્ષ અપીલ અરજી કરવામાં આવી હતી અને અધિક વિકાસ કમિશ્નર ગાંધીનગરના આદેશથી કેસની ચકાસણી કરીને નવેસરથી નિર્ણય લેવા કેસ રીમાન્ડ (પરત) કરવામાં આવેલ હતો જે કેસની ચકાસણી કરીને બંને ગામના સરપંચોને હોદ્દા પર પુન:સ્થાપિત કરવા હુકમ કરેલ છે