મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા બનતા ધારાસભ્યની હાજરીમાં શહેર ભાજપ દ્વારા નગર દરવાજા ચોકમાં આતિશબાજી


SHARE









મોરબી મહાપાલિકા બનતા ધારાસભ્યની હાજરીમાં શહેર ભાજપ દ્વારા નગર દરવાજા ચોકમાં આતિશબાજી

મોરબી પાલિકાને મહાપાલિકાએનો સરકાર દ્વારા આજે રજૂ કરવામાં આવેલ બજેટમાં દરજ્જો આપવામાં આવેલ છે ત્યારે મોરબીમાં ધારાસભ્યની હાજરીમાં શહેર ભાજપ દ્વારા મોરબીના નાગર દરવાજા ચોકમાં આતિશબાજી કરવામાં આવી હતી ત્યારે ઢોલના તાલે ગરબે ઘૂમીને સહુ કોઈને એક મેકના મો મીઠા કરાવ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, મોરબીના લોકોને સારામાં સારી સુવિધા મળે તેના માટે છેલ્લા ઘણા વર્ષોથી મોરબી પાલિકાને મહાપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી હતી તેવામાં ગુજરાતનાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં આજે જે બજેટ રજૂ કરેલ છે તેમાં વર્ષ ૨૦૨૩-૨૪ માં બજેટમાં મોરબી સહિત કુલ આઠ પાલિકાને મહાપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવેલ છે જેથી કરીને મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં આ નિર્ણયને આવકારીને ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા અને રિશીપભાઈ કૈલા, મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સાગરભાઈ સદાતિયા, મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા, મોરબી જિલ્લા ભાજપ અનુ. જતી મોરચાના પ્રમુખ બાબુભાઇ પરમાર, મોરબી શહેર ભાજપના પ્રમુખ જયદીપભાઈ કંડિયા, જયરાજસિંહ જાડેજા, દેવાભાઇ અવાડિયા, પ્રકાશભાઈ ચબાડ, જયોતિસિંહ જાડેજા, મેઘરાજસિંહ ઝાલા, દીપકભાઈ પોપટ, કેતનભાઇ બોપાલિયા, નિકુંજભાઈ કોટક, પરેશભાઈ કચોરીયા, નરેન્દ્રભાઈ પોપટ, અલ્પાબેન કકક્ડ, જયશ્રીબેન, જયવંતસિંહ જાડેજા, શૈલેષભાઈ સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા અને મોરબીના નાગર દરવાજા ચોકમાં આતિશબાજી કરવામાં આવી હતી ત્યારે ઢોલના તાલે ગરબે ઘૂમીને સહુ કોઈને એક મેકના મો મીઠા કરાવ્યા હતા અને આગામી દિવસોમાં મોરબી ખરા અર્થમાં પેરિસ બની જશે તેવી લાગણી અને વિશ્વાસ સહુ કોઈએ વ્યક્ત કર્યો હતો






Latest News