ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા બનતા ધારાસભ્યની હાજરીમાં શહેર ભાજપ દ્વારા નગર દરવાજા ચોકમાં આતિશબાજી


SHARE













મોરબી મહાપાલિકા બનતા ધારાસભ્યની હાજરીમાં શહેર ભાજપ દ્વારા નગર દરવાજા ચોકમાં આતિશબાજી

મોરબી પાલિકાને મહાપાલિકાએનો સરકાર દ્વારા આજે રજૂ કરવામાં આવેલ બજેટમાં દરજ્જો આપવામાં આવેલ છે ત્યારે મોરબીમાં ધારાસભ્યની હાજરીમાં શહેર ભાજપ દ્વારા મોરબીના નાગર દરવાજા ચોકમાં આતિશબાજી કરવામાં આવી હતી ત્યારે ઢોલના તાલે ગરબે ઘૂમીને સહુ કોઈને એક મેકના મો મીઠા કરાવ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, મોરબીના લોકોને સારામાં સારી સુવિધા મળે તેના માટે છેલ્લા ઘણા વર્ષોથી મોરબી પાલિકાને મહાપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી હતી તેવામાં ગુજરાતનાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં આજે જે બજેટ રજૂ કરેલ છે તેમાં વર્ષ ૨૦૨૩-૨૪ માં બજેટમાં મોરબી સહિત કુલ આઠ પાલિકાને મહાપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવેલ છે જેથી કરીને મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં આ નિર્ણયને આવકારીને ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા અને રિશીપભાઈ કૈલા, મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સાગરભાઈ સદાતિયા, મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા, મોરબી જિલ્લા ભાજપ અનુ. જતી મોરચાના પ્રમુખ બાબુભાઇ પરમાર, મોરબી શહેર ભાજપના પ્રમુખ જયદીપભાઈ કંડિયા, જયરાજસિંહ જાડેજા, દેવાભાઇ અવાડિયા, પ્રકાશભાઈ ચબાડ, જયોતિસિંહ જાડેજા, મેઘરાજસિંહ ઝાલા, દીપકભાઈ પોપટ, કેતનભાઇ બોપાલિયા, નિકુંજભાઈ કોટક, પરેશભાઈ કચોરીયા, નરેન્દ્રભાઈ પોપટ, અલ્પાબેન કકક્ડ, જયશ્રીબેન, જયવંતસિંહ જાડેજા, શૈલેષભાઈ સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા અને મોરબીના નાગર દરવાજા ચોકમાં આતિશબાજી કરવામાં આવી હતી ત્યારે ઢોલના તાલે ગરબે ઘૂમીને સહુ કોઈને એક મેકના મો મીઠા કરાવ્યા હતા અને આગામી દિવસોમાં મોરબી ખરા અર્થમાં પેરિસ બની જશે તેવી લાગણી અને વિશ્વાસ સહુ કોઈએ વ્યક્ત કર્યો હતો






Latest News