મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરામાં જુગાર રમતા ચાર શખ્સો ૧૦,૪૮૦ ની રોકડ સાથે પકડાયા


SHARE











મોરબીના વીસીપરામાં જુગાર રમતા ચાર શખ્સો ૧૦,૪૮૦ ની રોકડ સાથે પકડાયા

મોરબીના વીસીપરામાં પ્રજાપત કારખાના પાછળના ભાગે આવેલ બાવળની જાળીઓ વચ્ચે જાહેર જગ્યામાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા રૂા.૧૦,૪૮૦ કબ્જે કરીને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.

મોરબીના વીસીપરામાં પ્રજાપત કારખાના પાછળના ભાગે આવેલ બાવળની જાળીઓ વચ્ચે જાહેર જગ્યામાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે કેશુભાઇ અરજણભાઇ અગેચણીયા જાતે કોળી (ઉ.૫૦), અશોકભાઇ લોકચંદભાઇ ચંદાણી જાતે સીંધી (ઉ.૩૯), સુરેશભાઇ સવજીભાઇ દેલવાણીયા જાતે દેવીપૂજક (ઉ.૪૬) અને રાજુભાઇ અરજણભાઇ અગેચણીયા જાતે કોળી (ઉ.૩૭) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા રૂ.૧૦,૪૮૦ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

વાહન અકસ્માતમાં ચારને ઇજા

મોરબીના લખધીરપુર રોડ ઉપર બે બાઇક સામસામે ટકરાયાં હતા જે બનાવમાં સંજીવસિંહ દશરથસિંહ રાજાવત (૪૨), રામકુમાર શિવસિંહ રાજાવત (૪૭) ને તેમજ સામેના બાઇકમાં સવાર સુનિલ હરીનંદનલાલ (૧૯) અને રાજુ મહાવીરસિંહ (૧૯) આમ ચાર લોકોને ઈજાઓ થઈ હોય ચારેયને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા અને બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જે.પી.કણસાગરાએ આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના જીકીયારી ગામે થયેલ મારામારીના બનાવમાં અશ્વિન કાન્તિલાલ સોલંકી નામના ૨૨ વર્ષના યુવાનને ઇજાઓ થતાં સિવિલે સારવારમાં ખસેડાયો હતો.જ્યારે વાંકાનેરના આરોગ્યનગરમાં રહેતા મણિલાલ માનસીંગ રજપુત નામનો ૨૫ વર્ષીય યુવાન રાત્રે આઇટીઆઇએ નોકરીએ જવા નીકળ્યો હતો ત્યારે રસ્તામાં નવા બસ સ્ટેશન પાસે વાહન અકસ્માતના બનાવમાં તેને ઈજાઓ થતાં અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News