હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બંધ રેલવે ફાટક પાસે ઉભેલ ટ્રક પાછો રળતાં ટાયરના જોટામાં આવી જવાથી વૃદ્ધનું મોત


SHARE













વાંકાનેરમાં બંધ રેલવે ફાટક પાસે ઉભેલ ટ્રક પાછો રળતાં ટાયરના જોટામાં આવી જવાથી વૃદ્ધનું મોત

વાંકાનેરના મિલ પ્લોટ રેલવે ફાટક બંધ હતું જેથી કરીને વાહનો ત્યાં ઊભા હતા અને ફાટક ખૂલ્યા બાદ આગળ ઉભેલો ટ્રક પાછો પડ્યો હતો જેથી કરીને પાછળના ભાગમાં બાઈક લઈને ઉભેલા વૃદ્ધના બાઈક સાથે ટ્રક અથડાયો હતો અને ટ્રકના પાછળના જોટામાં વૃદ્ધનો જમણો પગ આવી જવાના કારણે ગંભીર ઇજા થવાથી વૃદ્ધનું મોત નીપજયું હતું અને હાલમાં વૃદ્ધના દીકરાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરની મીલ કોલોની મિલ પ્લોટ અમરસિંહ મિલની બાજુમાં રહેતા અમિતભાઈ દિલીપભાઈ પંડ્યા જાતે બ્રાહ્મણ (૨૯)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે ૩ બીવાય ૫૩૫૨ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મિલ પ્લોટ રેલવે ફાટક બંધ હતું જેથી કરીને વાહનો ઊભા હતા અને ફાટક ખૂલતાની સાથે જ વાહનો ત્યાંથી નીકળવા જઇ રહ્યા હતા ત્યારે આગળના ભાગે ઉભેલો ટ્રક એકદમ પાછળની સાઈડમાં આવ્યો હતો ત્યારે ફરિયાદીના પિતા દિલીપભાઈ સુખદેવભાઈ પંડ્યા (૬૮) ના બાઈકને હડફેટે લીધું હતું અને ડ્રાઇવર સાઈડના જોટામાં ફરિયાદીના પિતાનો જમણો પગ આવી ગયો હતો જેથી કરીને ગંભીર ઇજા થવાથી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી હાલમાં ભોગ બનેલા વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

માર માર્યો

મોરબી નજીકના ધરમપુર ગામે રહેતા સુનિલભાઈ લખધીરભાઈ પાલ (૩૫) નામના યુવાનને મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામ પાસે ગોકુલનગરમાં મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલા સુનિલભાઈને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મહેશભાઈ કહાંગરા દ્વારા કરવામાં આવી હતી






Latest News