મોરબીના ગુંગણ ગામે શનિવારે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાનો સન્માન સમારોહ યોજાશે
મોરબીમાં કાલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-જય મહાકાલ સતવારા મિત્ર મંડળ દ્વારા શસ્ત્ર પુજન કરાશે
SHARE
મોરબીમાં કાલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-જય મહાકાલ સતવારા મિત્ર મંડળ દ્વારા શસ્ત્ર પુજન કરાશે
મોરબીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા જય મહાકાલ સતવારા મિત્ર મંડળ દ્વારા શુક્રવારના રોજ દશેરાના પર્વ નિમિતે શસ્ત્ર પુજન કાર્યક્રમ યોજાશે
મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા જય મહાકાલ સતવારા મિત્ર મંડળ દ્વારા તા.૧૫-૧૦ શુક્રવારના રોજ દશેરાના પર્વ નિમિતે શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ મંદિર ખાતે સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન શસ્ત્રપુજન કાર્યક્રમનુ આયોજન કરવામા આવેલ છે. તો દરેક ધર્મપ્રેમી જનતાને આવવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ગીરીશભાઈ ઘેલાણી, હિતેશભાઈ જાની, નિર્મિત કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, પોલાભાઈ પટેલ, મનિષભાઈ પટેલ તથા જય મહાકાલ સતવારા મિત્ર મંડળના પ્રભુભાઈ નકુમ, વસંતભાઈ પરમાર, ગોપાલભાઈ નકુમ, ઈશ્વરભાઈ કંઝારીયા સહીતના અગ્રણીઓએ નિમંત્રણ પાઠવ્યુ છે. તેમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વતી નિર્મિત કક્કડ અને જય મહાકાલ સતવારા મિત્ર મંડળના પ્રભુભાઈ નકુમે યાદીમાં જણાવેલ છે.