ટંકારામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઇ: રેલીમાં હજારો લોકો જોડાયા વાંકાનેર એસટી ડેપો ખાતે વૃક્ષારોપણ અને સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં જુગારની ત્રણ રેડ, ૧૭ જુગારી પકડાયા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે સતત બીજી વખત દિનેશભાઇ હૂંબલ બિનહરીફ હળવદ પત્રકાર એસો. આયોજીત સર્વરોગ નિદાન કેમ્પમાં 770 દર્દીઓએ સારવાર લીધી, 30 લોકોએ અંગદાનનો સંકલ્પ કર્યો અને 110 બોટલ રક્ત એકત્રિત મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમા ઝુલતા પુલ નીચે નદીમાં ડૂબી જવાથી ટંકરાના યુવાનનું મોત


SHARE







મોરબીમા ઝુલતા પુલ નીચે નદીમાં ડૂબી જવાથી ટંકરાના યુવાનનું મોત

મોરબીમાંથી પસાર થતી મચ્છુ નદીમાં ઝુલતા પુલ નીચે ગઇકાલે ટંકારાનો યુવાન ન્હાવા માટે ગયો હતો ત્યારે કોઈ કારણોસર પાણીમાં ડૂબી જવાના લીધે આ યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે સિવિલે ખસેડીને બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા દ્રારકાધીશ જીનની બાજુમાં રહેતો રઘુભાઇ ગોરધનભાઇ કુંઢીયા (ઉ.૩૫) ગઇકાલે મોરબીમાંથી પસાર થતી મચ્છુ નદીમાં ઝુલતા પુલ નીચે પાણીના કોઝવેમાં ન્હાવા માટે ગયો હતો ત્યારે કોઈ કારણોસર પાણીમાં ડૂબી જવાના લીધે આ યુવાનનું મોત નીપજયું હતું અને તેની બોડીને તરવૈયાઓની મદદથી પાણીમાંથી બાહર કાઢવામાં આવી હતી અને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને તે બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને બનાવની જાણ કરવામાં આવતા બી ડીવીજન પોલીસ મથકના ફિરોજભાઇ સુમરાએ બનાવની નોંધ કરીને તપાસ શરૂ કરતા ખુલ્યુ હતું કે મૃતક યુવાન તેના કૌટુંબિક સગાની સાથે ટંકારાથી કપડાની ખરીદી કરવા માટે મોરબી આવ્યો હતો અને તેઓ મોરબીની મચ્છુ નદીમાં ન્હાવા માટે ગયા હતા તે દરમિયાનમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું છે જેને પગલે બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.

નકલી ચલણી નોટ
 
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી બેન્કના એટીએમમાં કોઈ ખાતેદાર રૂા.બે હજારના દરની ચલણી નોટ ધાબડી ગયો હોવાનું સામે આવ્યું છે.
મોરબી એ ડીવીજન પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના એયુ સ્મોલ ફાયનાન્સ બેંકના એટીએમ મશીનમાં કોઈ ખાતેદાર રૂપિયા બે હજારના દરની બનાવટી ચલણી નોટ જમા કરાવી ગયેલ હોય તે અંગે બ્રાન્ચ મેનેજર ભાવિન દિનેશ મેહતલીયા જૈન વાણીયા (૩૭) રહે.રવાપર રોડ રામેશ્વર સોસાયટીએ આ અંગે મોરબી એ ડિવિઝન પોલીસમાં જાણ હાલમાં પીએસઆઇ વી.આર.શુકલએ આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.





Latest News