મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના ગિરિરાજસિંહ ઝાલા ઉપર યોગેન્દ્ર અને નરવીનનો હુમલો


SHARE







વાંકાનેરના ગિરિરાજસિંહ ઝાલા ઉપર યોગેન્દ્ર અને નરવીનનો હુમલો

મકાન પચાવી પાડવા ડખ્ખો કરતા હોવાનો આક્ષેપ, અગાઉ આ બાબતે ઝઘડો થયેલો, જેની અદાવતમાં બનાવ બન્યો : ઇજાગ્રસ્ત ગિરિરાજસિંહ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ
વાંકાનેરના આરોગ્ય નગરમાં યુવક પર બે શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો. યુવકનું મકાન પચાવી પાડવા બાબતે બંને શખ્સોએ બે વર્ષ પહેલા પણ માથાકૂટ કરી હોવાનો આક્ષેપ કરાયો છે. ગઈ કાલે ઉશ્કેરાઈ જઈને બંને શખ્સોએ ગિરિરાજસિંહ સાથે ઝગડો કરી ધોકા વડે માર માર્યો હતો.
બનાવની વિગત મુજબ, વાંકાનેરના આરોગ્ય નગરમાં રહેતો ગિરિરાજસિંહ નવલસિંહ ઝાલા (ઉ.વ.37) નામનો યુવક ગઈ કાલે પોતાનાં ઘર પાસે હતો. ત્યારે યોગેન્દ્ર અને નરવીને અગાઉ થયેલ ઝગડાનો ખાર રાખી ધોકા વડે માર માર્યો હતો. યુવકને ઈજાઓ પહોંચતા તુરંત વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. બંને આરોપી ગિરિરાજસિંહની બાજુમાં જ રહે છે.
યોગેન્દ્ર અને નરવીનને ગિરિરાજસિંહનું મકાન પચાવી પાડવું છે. માટે વારંવાર માથાકૂટ કરતાં હતાં. યુવકને બે વર્ષ પહેલા પણ યોગેન્દ્ર અને નરવીન સાથે મકાન બાબતે ઝઘડો થયો હતો. ગઈ કાલે મકાન બાબતનો ખાર રાખી બંને શખ્સોએ યુવકને માર મારી નાસી ગયાનું પરીવારજનોએ જણાવ્યું હતો.હાલ યુવક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુવક વાંકાનેર ટોલનાકામાં નોકરી કરે છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.





Latest News