મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી લીલા લીમડા વાળા મેલડી માતાજીનો ભવ્ય નવરંગ માંડવો યોજાશે


SHARE











મોરબીમાં શ્રી લીલા લીમડા વાળા મેલડી માતાજીનો ભવ્ય નવરંગ માંડવો યોજાશે

શ્રી લીલા લીમડા વાળા મેલડી માતાજી મિત્ર મંડળ દ્વારા મોરબી ના મોચી શેરી માં ખાખરેચી દરવાજા ચોકમાં શ્રી હટકેશ્વર મહાદેવ મંદિર સામે આવેલા આષ્થા શ્રદ્ધા ના પ્રતિકસમાં શ્રી લીલા લીમડા વાળા મેલડી માતાજી નો ભવ્ય નવરંગ માંડવો માતાજી ના મંદિર ના સાનિધ્યમાં તા ૧૫/૩ ને શુક્રવારે યોજાશે વહેલી સવારે થાંભલી રોપણ કરાશે જેમાં સવારે ૯ વાગે ધામધૂમથી વાજતે ગાજતે ભુવાના સામૈયા કરવામાં આવશે આ નવરંગ માંડવા માં ડાક ની રમઝટ રાત્રે ૯ વાગે યોજાશે જેમાં રાવળદેવ શ્રી હરેશભાઇ રાવળ પંચના ભૂવા શ્રી ધીરુભાઇ ખોડાભાઈ ચૌહાણ(લીલા લીમડા વાળા મેલડી માતાજી મંદિર ના ભૂવા શ્રી) સહિત રમેશભાઈ મોહનભાઇ ડોડીયા, જયંતીભાઈ પૂંજાભાઈ રાજગોર,અરુણભાઈ રણમલભાઈ સોલંકી,દિલીપભાઈ રાવળ, અમૂલભાઈ અશોકભાઈ ચાવડા, જનકભાઈ મોહનભાઇ ચૌહાણ, ચમનભાઈ સોઢા, મહેશભાઈ ડોડીયા, જયંતીભાઈ મકવાણા, રવિભાઈ સોલંકી, સહિત ભૂવાશ્રી માતાજી ના ગરબા,છંદ,દુહા ની રમઝટ બોલાવશે.આ નવરંગ માંડવા ના સફળ આયોજન માં શ્રી લીલા લીમડા વાળા મેલડી માતાજી મિત્ર મંડળ ને માઇ ભક્તો સેવાભાવી યુવા ગ્રુપ મંદિર અને ચોક ને રોશની થી ઝળહળતી કરી રાત દિવસના ઉજાગરા કરી તન મન ધન થી જહેમત ઉઠાવીને ખાખરેચી દરવાજા ચોકમાં ચાર ચાંદ લગાવી દીધા હતા ભક્તો એ માતાજીના માંડવાના દર્શનનો લાભ લેવા આયોજકો દ્વારા જાહેર આમંત્રણ પાઠવ્યું છે.






Latest News