મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબીમાં નટરાજ ફાટક પાસે ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત


SHARE











મોરબીમાં નટરાજ ફાટક પાસે ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત

મોરબી નજીક ભડીયાદ કાંટા પાસે રહેતો યુવાન નટરાજ ફાટક પાસે હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને આપઘાતના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં ભડિયાદ રોડ ઉપર આવેલ ભડીયાદ કાંટા પાસે રહેતા દેવજીભાઈ કેશુભાઈ સોમાણી (૩૫) નામનો યુવાન મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નટરાજ ફાટક પાસે હતો ત્યારે ત્યાં કોઈ અગમ્ય કારણોસર તે ઝેરી દવા પી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ એચ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

મોરબીમાં રેલ્વે સ્ટેશન નજીક માતાજીના મંદિરની પાછળના ભાગમાં મફતિયાપરામાં ઘર પાસે મારામારીનો બનાવ બન્યો હતો અને તેમાં નજમાબેન ઇલ્યાસભાઈ ચૌહાણ (૨૮) નામની યુવતીને ઇજાઓ થઇ હોવાથી ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી આ બનાવની આગળ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે

મારામારીમાં ઇજા

મોરબીમાં સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે રહેતા દિનેશભાઈ માનસિંગ બારીયા (૩૧) ને મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસપી રોડ પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઈજા પામેલા હાલતમાં યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ હરેશભાઈ ચાવડા કરી રહ્યા છે






Latest News