બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રવાપર પાસે સોસાયટીમાં પાણીનો પ્રશ્ન ન ઉકેલાય તો ૭૦૦ થી વધુ લોકો કરશે ચૂંટણીનો બહિષ્કાર: ચીમકી


SHARE











મોરબીમાં રવાપર પાસે સોસાયટીમાં પાણીનો પ્રશ્ન ન ઉકેલાય તો ૭૦૦ થી વધુ લોકો કરશે ચૂંટણીનો બહિષ્કાર: ચીમકી

મોરબી જિલ્લાના પોસ વિસ્તારમાં આવતા રવાપર ગામ પાસેના સોસાયટી વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યા છે જો કે, તેને ઉકેલવામાં આવી રહી નથી અને છેલ્લા દિવસોથી પાણી આવતું જ નથી જેથી કરીને સ્થાનિક લોકો ધારાસભ્ય અને કલેકટરને રજૂઆત કરવા માટે પહોચ્યા હતા અને જો પાણીની સમસ્યાને ઉકેલવામાં નહિ આવે તો આગામી સમયમાં આવનાર લોકસભાની ચુંટણીમાં ત્યાં રહેતા ૭૦૦ થી વધુ લોકો ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે

સામાન્ય રીતે ઉનાળામાં છેવાડાના વિસ્તારમાં પાણીની સમસ્યા હોય તે સમજી શકાય તેવી વાત છે જો કે, મોરબીના રવાપર ગામે પંચાયતની બાજુની શેરીમાં દર્પણ-૨ સોસાયટી આવેલ છે જેમાં જુદાજુદા ૧૩ એપોર્ટમેન્ટ આવેલ છે અને ત્યાં આજની તારીખે ૭૦૦ થી વધુ લોકો રહે છે જેમને પાણી માટે છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યા છે તેના માટે અગાઉ પાલિકાના સભ્યોને તેમજ પાલિકાના અધિકારીને સ્થાનિક લોકોએ રજૂઆત પણ કરી હતી જો કે, આજની તારીખે પણ લોકો પણી માટે હેરાન છે અને પ્રશ્ન ઉકેલતો જ નથી જેથી રોષે ભરાયેલા સ્થાનિક મહિલાઓ સહિતના ૧૫૦ થી વધુ લોકો ઉમા ટાઉનશિપમાં રહેતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના ઘરે તેમજ કલેક્ટરને કલેક્ટર કચેરીએ જઈને આવેદન પત્ર આપીને પાણી આપવાની માંગ સાથેની રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારે લોકોએ કહ્યું હતું કે, દર્પણ-૨ સોસાયટી, સંગમ રેસીડેન્સી-એ, સંગમ રેસીડેન્સી-બી, સંગમ રેસીડેન્સી-સી, સંગમ રેસીડેન્સી-ડી, એકતા અવેન્યું, વ્હાઈટ હાઉસ, સત્યમ એપાર્ટમેન્ટ, સત્યમ-૨ એપાર્ટમેન્ટ, શિવમ એપાર્ટમેન્ટ, સુંદરમ્ એપાર્ટમેન્ટ, ઓપેરા હાઉસ, એકતા હિલ, પટેલ પેલેસમાં જો પાણીનો પ્રશ્ન ઉકેલાશે નહીં તો આગામી સમયમાં આવનાર લોકસભાની ચૂંટણીનો ત્યાના લોકો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે વધુમાં લોકોએ જણાવ્યુ હતું કે હાલમાં લોકો ટેન્કર માંગવીને કે પછી બોરના પાણી વાપરે છે ત્યારે પાલિકાનું પાણી બાજુની સોસાયટીમાં આવે તો પછી આ ૧૩ એપાર્ટમેંટમાં રહેતા લોકોને કેમ પાણી આપવામાં આવતું નથી તે સૌથી મોટો સવાલ છે મોરબીમાં ઉમા ટાઉનશિપમાં રહેતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પાસે લોકો પહોચ્યા હતા ત્યારે તેની રજૂઆતને સાંભળીને પાણીનો પ્રશ્ન વહેલી તકે ઉકેલવા માટે અધિકારીને સૂચના આપેલ હતી અને તે વિસ્તારમાં કચરા અને લાઇટ માટેની પણ રજૂઆત લોકોએ કરતાં તેના માટે પણ અધિકારીને યોગ્ય કરવા માટે ધારાસભ્યએ સૂચના આપેલ છે






Latest News