મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો


SHARE











મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ પ્રેમજીભાઈ ચીખલીયાનુ હાર્ટ એટેકથી નિધન થયું હતું ત્યારબાદ ગઈકાલે મોરબીના રવાપર ગામ પાસે આવેલ દ્વારકાધીશ પાર્ટી પ્લોટ ખાતે તેમનું બેસણું રાખવામાં આવ્યું હતું તેની સાથે રક્તદાન કેમ્પનું ચિખલિયા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. મોરબીમાં આવેલ સંસ્કાર બ્લડ બેન્કના સહયોગથી ચીખલીયા પરિવાર દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં 70 જેટલા રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે થઈને રજનીકાંતભાઈ ચીખલીયા, મહેન્દ્રભાઈ ચીખલીયા, વિશાલભાઈ ચિખલિયા અને ચિખલિયા પરિવારના યુવાનોએ જહેમત ઉઠાવી હતી. અને રક્તદાન કરીને કિશોરભાઈ ચીખલીયાને સાચી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આ તકે સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી તથા સંચાલક રમેશભાઈ માકાસણા તથા કોંગ્રેસના આગેવાનો, પાટીદાર સમાજના આગેવાનો, મોરબીના સિરામિક ઉદ્યોગકારો, તમામ સમાજના લોકો બેસણામાં હાજર રહ્યા હતા અને તેઓએ કિશોરભાઈ ચીખલીયાને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને ખાસ કરીને તેમના પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરીને અન્ય જરૂરિયાતમંદ દર્દીને સમયસર રક્ત મળી રહે તે માટે રક્તદાન કેમ્પ કર્યો તે ઉમદા કાર્યને સહુ કોઈએ બિરદાવ્યું હતું






Latest News