ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીના ચકચારી મારામારી-એટ્રોસીટીના કેસમાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE













મોરબીના ચકચારી મારામારી-એટ્રોસીટીના કેસમાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો

મોરબીના સેસન્સ કોર્ટમાં મોરબીનો ચકચારી મારામારી તથા એટ્રોસીટી કેશ ચાલી ગગયો હતો જેમાં આરોપીઓ ભગવાનજી ઉર્ફે ભગો, દેવાભાઈ ઉર્ફે દેવો રાજુભાઈ મુંજારીયા,મોહીનભાઈ ઈસ્માઈલભાઈ ચાલીયાઓનો નિર્દોષ છુટકારો થયેલ છે

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી ભગવાનજી ઉર્ફે ભગો અને ફરીયાદીના પરીવાર વચ્ચે મોટરસાઈકલ અકસ્માત બાબતે ઝઘડો થયેલ તે બાબાતનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદી જે દુકાનમાં કામ કરે છે ત્યાં જઈ ફરીયાદીને દુકાન નીચે બોલાવીને ફરીયાદી નીચે આવતાં ત્રણેય આરોપીઓએ એકસંપ કરી એકબીજાને મદદગારી કરી જાહેરમાં લોકોની હાજરીમાં ભુંડા ગાળો આપી ફરીયાદીને માથામાં, મોઢે તથા હાથમાં આડેધડ હથીયાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ આરોપીઓએ ફરીયાદીને જ્ઞાતી પ્રત્યે જાહેરમાં અપમાનીત અને હડધુત કરેલ તે બાબતની ફરિયાદ નોંધાયેલ છે જે ગુનામાં તમામ આરોપીઓની ધરપકડ કરેલ હતી.

આ કેસ મોરબીના બીજા એડી. ડિસ્ટ્રી. જજ વી.એ.બુધ્ધ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં  આરોપીઓ તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ આર. અગેચાણીયા રોકાયેલા હતા. આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદી, અન્ય સાહેદો, પંચો, ડોકટર તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલી હતી અને તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા  દલીલ કરવામાં આવેલ કે, આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વિરુધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના સરકારી સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદ પક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. તેમજ સરકારપક્ષ આરોપી સામે કેસ સાબીત કરવામાં તદન નિષ્ફળ રહેલ છે અને કોર્ટમાં દલીલ કરેલ કે, જયા 'સુધી આરોપીઓ સામે સરકાર શંકારહીત કેસ સાબીત ન કરી શકે ત્યાં સુધી આરોપીઓને નિર્દોષ માનવા જોઈએ તેમજ વધુમાં સુપ્રીમ અને હાઈકોર્ટ આપેલ જે ચુકાદા હતા તેના આધારે આરોપીઓ તદ્દન નિર્દોષ છોડી મુકવા જોઈએ તેવી ધારદાર દલીલ કરેલી હતી આ કેસમાં બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ દીલીપ આર. અગેચાણીયાની તમામ દલીલોને માનીને કોર્ટે તમામ આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ અગેચાણીયા, યુવાન એડવોકેટ જીતેન ડી.અગેચાણીયા, જે.ડી. સોલંકી, હીતેશ પરમાર, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા અને ક્રિષ્ના જારીયા રોકાયેલ હતા.






Latest News