મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસો. પ્રમુખ પદે હરેશ બોપલીયા બિનહરીફ
માળીયા (મી)ના મોટા દહીસરા ગામમાં યુવાનની હત્યાના ગુનામાં ત્રણ આરોપીઓને આજીવન સખત કેદની સજા
SHARE








માળીયા (મી)ના મોટા દહીસરા ગામમાં યુવાનની હત્યાના ગુનામાં ત્રણ આરોપીઓને આજીવન સખત કેદની સજા
માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા યુવાનને ચાર શખ્સો દ્વારા વર્ષ ૨૦૧૬ માં ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીથી અમદાવાદની સરકારી હોસ્પિટલ સુધી લઈ ગયા હતા જોકે, સારવાર દરમિયાન તેનું મોત થયું હતું જે હત્યાનો કેસ મોરબીની પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં જિલ્લા સરકારી વકીલ અને મદદનીસ સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલો તેમજ લેખિત અને મૌખિક પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે ત્રણ આરોપીઓને આજીવન સખત કેદની સજા અને પ્રત્યેકને ૧.૦૬ હજારનો દંડ કરવામાં આવેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લાના માળીયા તાલુકાના મોટા દહીસરા ગામના રહેવાસી મૃતક જીવણભાઈ રામજીભાઈ ધંધુકિયા જાતે કોળી (૨૮)એ વર્ષ ૨૦૧૬ માં ચાર શખ્સોની સામે માળિયાની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મારામારી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી અને આ બનાવમાં ઈજા પામેલા જીવણભાઈ ધંધુકિયાને સારવાર માટે પ્રથમ મોરબીની આયુષ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની સરકારી હોસ્પિટલ સુધી લઈ જવામાં આવ્યા હતા અને અમદાવાદ ખાતે સારવાર દરમિયાન તા ૨૫/૬/૧૬ ના રાત્રિના ૧૦:૪૦ વાગ્યાના અરસામાં તેનું મોત નીપજયું હતું જેથી કરીને મારામારીનો આ બનાવ હત્યામાં પલટાયો હતો અને હત્યાનો આ કેસ મોરબીની પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં આજે ચાલી ગયો હતો જેમાં મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ સી. જાની તેમજ મદદનીસ સરકારી વકીલ સંજયભાઈ સી. દવે દ્વારા કરવામાં આવેલ દલીલો તેમજ રજૂ કરવામાં આવેલા ૨૬ મૌખિક પુરાવાઓ અને ૩૬ દસ્તાવેજી પુરાવોને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા આરોપીઓને સજા ફટકારવામાં આવી છે જો કે, ચાર આરોપીઓ પૈકીના વિનુભાઈ મુળુભાઈ ચાવડા અવસાન થયેલ છે અને બાકીના ત્રણ આરોપી જેમાં જેસંગભાઈ પરબતભાઈ ચાવડા, પ્રવીણભાઈ ઉર્ફે ઠૂઠો બીજલભાઇ હુંબલ અને વાલજીભાઈ લાખાભાઈ મિયાત્રાને કોર્ટે આજીવન સખત કેદની સજા અને પ્રત્યેકને ૧.૦૬ લાખનો દંડ કર્યો છે તેવી માહિતી સરકારી વકીલ પાસેથી જાણવા મળેલ છે

