મોરબીમાં વાવડી કન્યા શાળા ખાતે મેડિકલ કેમ્પ યોજ્યો મોરબીના બગથળા ગામે નકલંક મંદિરના મંહત દામજી ભગતના હસ્તે સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ મોરબીમાં તૂટી ગયેલો ઝુલતો પુલ ફરી પાછો બાંધવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત મોરબી સીરામીક એસો.ના આગેવાનો ધારાસભ્યની સાથે મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રીને ગાંધીનગરમાં મળ્યા: સિરામિક ઉદ્યોગની સ્થિતિ વિશે કરી વિસ્તૃત ચર્ચા ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીનો પોલીપેક ઉદ્યોગમાં વપરાતા પ્લાસ્ટિક દાણાના ભાવમાં પ્રતિ કિલોએ 50 ટકાથી વધુનો વધારો મોરબી જિલ્લા કક્ષાના મહિલા દિવસની ઉજવણી સાથે આજે મહિલા સંમેલન-સન્માન સમરોહ યોજાયો મોરબીમાં ભરણપોષણનો કેસ કરનાર પરણીતાના ઘરે જઈને પતિ સહિત બે વ્યક્તિઓએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી હળવદના ઇંગોરાળા મયાપુર રોડ ઉપરથી 300 બિયરના ટીન ભરેલી કાર સાથે બે શખ્સ ઝડપાયા: 2.63 લાખનો મુદ્દામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવાનને માર મારીને ફોન ઉપર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી: ત્રણ શખ્સો સામે ફરિયાદ


SHARE













વાંકાનેરમાં યુવાનને માર મારીને ફોન ઉપર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી: ત્રણ શખ્સો સામે ફરિયાદ

વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે ડીલક્ષ પાનની સામેના ભાગમાં યુવાનને મોબાઈલ ફોન ઉપર ફોન કરીને બે શખ્સો દ્વારા ગાળો આપવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તેમજ તે યુવાનને પ્લાસ્ટિકના કેરેટ અને પથ્થર વડે શરીર ઉપર આડેધડ માર મારીને ઇજા કરી હતી આટલું જ નહીં ચા બનાવવાના લોખંડના ચમચા વડે તેને નેણના ભાગે માર મારીને ઈજા કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ ત્રણ શખ્સોની સામે વાંકાનેર સુધી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટી શિવાજી પાર્ક શેરી નં-૩ માં રહેતા મયુરસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા જાતે દરબાર (૩૩)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કાળુભાઈ મોગલ અને અકબરભાઈ ફકીર રહે. બંને સીટી સ્ટેશન રોડ વાંકાનેર તથા એક અજાણ્યો શખ્સ આમ કુલ મળીને ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસેથી કાળુભાઈ અને અકબરભાઈએ તેના ફોનમાં ફોન કરી સ્પીકર ફોન ઉપર તેને ગાળો આપી હતી અને ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને અકબરભાઈ તેમજ અજાણ્યા શખ્સ દ્વારા તેને પથ્થર અને પ્લાસ્ટિકના કેરેટ વડે માર મારીને ઇજા કરવામાં આવી હતી અને અકબરભાઈએ ચા બનાવવાનો ચમચો ફરિયાદી યુવાનને નેણના ભાગે મારીને ઈજા કરેલ છે જેથી યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આગળની વધુ તપાસ વાલજીભાઈ રામજીભાઈ પરમાર ચલાવી રહ્યા છે




Latest News