મોરબીના ખાખરાળા ગામ પાસે કારખાનામાં વીજશોક લાગતા યુવાનનું મોત નીપજ્યું
મોરબીમાં નારાયણ સેવા સંસ્થા અને હિમસન આર્ટીસ્ટ ફેડરેશન દ્વારા રંગભૂમિના કલાકારોનો સન્માન સમારોહ યોજાશે
SHARE
મોરબીમાં નારાયણ સેવા સંસ્થા અને હિમસન આર્ટીસ્ટ ફેડરેશન દ્વારા રંગભૂમિના કલાકારોનો સન્માન સમારોહ યોજાશે
મોરબીમાં નારાયણ સેવા સંસ્થા ઉદેપુરના સૌજન્ય અને હિમસન આર્ટીસ્ટ ફેડરેશન દ્વારા આયોજીત ભવાઇ કલાકાર અને રંગભૂમિના કલાકારોના સન્માન એવોર્ડ કાર્યક્રમ યોજવામાં આવશે.
મોરબીમાં ધનતેરસ તા.૨ જી નવેમ્બરને મંગળવારના રોજ નારાયણ સેવા સંસ્થા ઉદેપુર (રાજસ્થાન) ના સૌજન્ય અને હિમસન આર્ટીસ્ટ ફેડરેશન દ્વારા મોરબીના ભવાઇ કલાકાર તથા રંગભૂમિના કલાકારોનો એક સન્માન એવોર્ડ સમારંભ યોજાઇ રહ્યો છે. આ કાર્યક્રમમાં મોરબીના અધિકારીઓ-પદાધિકારીઓ તથા ગુજરાતી ફિલ્મના પ્રોડયુસર, ડાયરેકટર, સંગીતકાર સન્માનીત થનાર કલાકારોને શુભેચ્છા પાઠવવા ઉપસ્થીત રહેશે.આ કાર્યક્રમ મોરબીમાં પ્રથમ વખત યોજાઇ રહયો છે જેણે રંગભૂમિ માટે જીંદગીભરની સફર ખેડી છે તેવા સ્વર્ગસ્થ કલાકારોને મરણોતર એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ સમારંભ યોજાતો હોઇ કલાકારોમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે આ સમારંભ નારાયણ સેવા સંસ્થાના મોરબી-રાજકોટના પ્રમુખ ધનશ્યામસિંહ ઝાલા, હિમસન આર્ટીસ્ટ ફેડરેશન ગુજરાતના પ્રમુખ લાલજીભાઇ મહેતા તેમજ હિમસન ફિલ્મના નિર્માતા રામભાઇ મહેતા સમાંરભને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.