મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સામજ દ્વારા રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજાનું કરાયુ સન્માન


SHARE













મોરબી પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સામજ દ્વારા રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજાનું કરાયુ સન્માન

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજાનો સન્માનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ તકે મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદજી હાજર રહ્યા હતા અને તેમણે રાવણનું દષ્ટાંત આપીને કહ્યું હતું કે, જો મતિ બગડે તો સોનાની લંકા પણ રહેતી નથી તે આપણે બધા જ જાણીએ છીએ જેથી કરીને મતિ ન બગડે તે માટે શિવઆરાધના તેમજ નિયમિત રીતે ગાયત્રીના પાઠ કરવા તેવી તેમણે ટકોર કરી હતી. મંત્રી બ્રિજેશ મેરજાનું બ્રહ્મ સામાજની વિવિધ પાંખો તેમજ સમાજના આગેવાનો દ્વારા તેમને વાજતે ગાજતે ઘોડે બેસાડીને અદકેરૂ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ સાફો, બંડી અને સાલ ઓઢાડીને રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજાનું અદકેરૂ સન્માન કરવામાં આવ્યુ હતુ.

આ તકે મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ ભરતભાઇ ઓઝા(વાંકાનેર), મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા, દિલુભા જાડેજા (જયદીપ કાું), મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાંસદડીયા, જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ લોરીયા, મોરબી જિલ્લા મહિલા ભાજપના પ્રમુખ સંગીતાબેન રમેશભાઈ ભીમાણી, રમેશભાઇ ભીમાણી, નોટરી બી.કે.ભટ્ટ, પાલીકામાં ચુંટાયેલ બ્રહ્મ મહીલા કાઉન્સીલરો સહિત શહેર અને જિલ્લા ભાજપની ટીમના આગેવાનો સાથે રહ્યા હતા અને બ્રિજેશ મેરજાએ પ્રાસંગીક ઉદબોધનમાં કહ્યુ હતુ કે મારૂ સન્માન કરીને જે પાઘડી પહેરાવી છે તે હું ક્યારે પણ ભુલીશ નહી અને હંમેશા સમાજ ઉપયોગી કામ માટે મારા દરવાજા ખુલ્લા છે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને પરશુરામ ધામ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, બ્રહ્મ સમાજના આગેવાન અને પ્રદેશ ભાજપ અગ્રણી અનિલભાઈ મહેતા, મોરબી જીલ્લા ભાજપના ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા, મોરબી પરશુરામ યુવા ગૃપના પ્રમુખ નીરજભાઈ ભટ્ટ, ચિંતનભાઇ ભટ્ટ, ધ્યાનેશભાઇ રાવલ, કિશનભાઇ ઉપાધ્યાય, મહેશભાઇ ભટ્ટ, નલીનભાઇ ભટ્ટ, સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ કિશોરભાઈ શુકલ, આર્યન ત્રિવેદી, યજ્ઞેશ જાની, મુકેશભાઈ જોશી સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન રવિન્દ્રભાઇ ત્રિવેદીએ કર્યુ હતુ.






Latest News