મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સામજ દ્વારા રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજાનું કરાયુ સન્માન


SHARE











મોરબી પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સામજ દ્વારા રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજાનું કરાયુ સન્માન

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજાનો સન્માનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ તકે મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદજી હાજર રહ્યા હતા અને તેમણે રાવણનું દષ્ટાંત આપીને કહ્યું હતું કે, જો મતિ બગડે તો સોનાની લંકા પણ રહેતી નથી તે આપણે બધા જ જાણીએ છીએ જેથી કરીને મતિ ન બગડે તે માટે શિવઆરાધના તેમજ નિયમિત રીતે ગાયત્રીના પાઠ કરવા તેવી તેમણે ટકોર કરી હતી. મંત્રી બ્રિજેશ મેરજાનું બ્રહ્મ સામાજની વિવિધ પાંખો તેમજ સમાજના આગેવાનો દ્વારા તેમને વાજતે ગાજતે ઘોડે બેસાડીને અદકેરૂ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ સાફો, બંડી અને સાલ ઓઢાડીને રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજાનું અદકેરૂ સન્માન કરવામાં આવ્યુ હતુ.

આ તકે મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ ભરતભાઇ ઓઝા(વાંકાનેર), મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા, દિલુભા જાડેજા (જયદીપ કાું), મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાંસદડીયા, જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ લોરીયા, મોરબી જિલ્લા મહિલા ભાજપના પ્રમુખ સંગીતાબેન રમેશભાઈ ભીમાણી, રમેશભાઇ ભીમાણી, નોટરી બી.કે.ભટ્ટ, પાલીકામાં ચુંટાયેલ બ્રહ્મ મહીલા કાઉન્સીલરો સહિત શહેર અને જિલ્લા ભાજપની ટીમના આગેવાનો સાથે રહ્યા હતા અને બ્રિજેશ મેરજાએ પ્રાસંગીક ઉદબોધનમાં કહ્યુ હતુ કે મારૂ સન્માન કરીને જે પાઘડી પહેરાવી છે તે હું ક્યારે પણ ભુલીશ નહી અને હંમેશા સમાજ ઉપયોગી કામ માટે મારા દરવાજા ખુલ્લા છે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને પરશુરામ ધામ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, બ્રહ્મ સમાજના આગેવાન અને પ્રદેશ ભાજપ અગ્રણી અનિલભાઈ મહેતા, મોરબી જીલ્લા ભાજપના ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા, મોરબી પરશુરામ યુવા ગૃપના પ્રમુખ નીરજભાઈ ભટ્ટ, ચિંતનભાઇ ભટ્ટ, ધ્યાનેશભાઇ રાવલ, કિશનભાઇ ઉપાધ્યાય, મહેશભાઇ ભટ્ટ, નલીનભાઇ ભટ્ટ, સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ કિશોરભાઈ શુકલ, આર્યન ત્રિવેદી, યજ્ઞેશ જાની, મુકેશભાઈ જોશી સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન રવિન્દ્રભાઇ ત્રિવેદીએ કર્યુ હતુ.






Latest News