બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નવા અંજીયાસર ગામે પરણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-સાસુ સામે નોંધાયો ગુનો


SHARE











માળીયા (મી)ના નવા અંજીયાસર ગામે પરણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-સાસુ સામે નોંધાયો ગુનો

માળીયા મીયાણા તાલુકાના નવા અંજીયાસર ગામે પરણીતાએ આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતક મહિલાની માતાએ તેના જમાઈ અને વેવાણની સામે દીકરીને મળવા મજબૂર કરી હોવા અંગેની ફરિયાદ નોંધાવેલ છે જેથી કરીને માળિયા તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણાના જખરીયા પીર વિસ્તારમાં રહેતા આઈશાબેન અવેશભાઇ કટિયા જાતે મિયાણા (૪૦)એ હાલમાં તેના જમાઈ આસિફભાઇ ઉમરભાઈ મુલ્લા અને વેવાણ ઝરીનાબેન ઉમરભાઈ મુલ્લા રહે. બંને નવા અંજિયાસર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની દીકરી પરવીનબેન આસિફભાઇ મુલ્લા (૨૦) વાળીએ ગત તા. ૯/૩/૨૪ ના રોજ સાંજના છ વાગ્યાના સુમારે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો કેમકે તેની દીકરીને તેના પતિ અને સાસુ દ્વારા ઘરકામ બાબતે અવારનવાર મેણાં ટોણાં મારીને ત્રાસ આપવામાં આવતો હતો તેમજ ફરિયાદીની દીકરીને તેના જમાઈ નશો કરીને અવારનવાર ઝઘડો કરીને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા જેથી તેની દીકરીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને હાલમાં મૃતક મહિલાની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતક મહિલાના પતિ અને સાસુની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

મારા મારીમાં ઇજા

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ કુબેર ટોકીઝની પાછળના ભાગમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં નીતાબેન કનુભાઈ વાઘેલા (૨૨) નામની મહિલાને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવેલ છે

ફિનાઇલ પીધું

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા વિસ્તારમાં રહેતા જયશ્રીબેન રેવાભાઇ રાઠોડ (૧૯)એ કોઈ કારણોસર પોતે પોતાની જાતે ફીનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન કરતા પોલીસને જણા કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ એ.આર. સારદીયા ચલાવી રહ્યા છે






Latest News