મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો 11,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સબ સ્ટેશનમાંથી રીયકટરની ચોરીના ગુનામાં મોરબી તાલુકા પોલીસે 3 આરોપીને દબોચી લીધા મોરબી નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટના ગુનામાં પકડાયેલા 3 આરોપીના રિમાન્ડ મંજૂર  મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો વધુ એક સાગરીત પકડાયો: 2 ની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ગોડાઉનમાંથી ઝડપાયેલ સીરપના જથ્થાના ગુનામાં વધુ એક આરોપી પકડાયો


SHARE





મોરબીમાં ગોડાઉનમાંથી ઝડપાયેલ સીરપના જથ્થાના ગુનામાં વધુ એક આરોપી પકડાયો

મોરબીના લાતી પ્લોટમાં આવેલ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી કોડીનયુકત કફ સીરપનો જથ્થો પકડાયો હતો અને તે ગુનામાં અગાઉ મોરબી અને રાજકોટના ટ્રાન્સપોર્ટરની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરેલ છે અને આ ગુનામાં હાલમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ શ્રીહરીકૃપા ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી નશાકારક કોડીનયુકત કફ સીરપની ૧૦ હજાર બોટલો કિંમત ૨૦,૫૪,૮૦૦ તથા એક મોબાઇલ ફોન ૫,૦૦૦ એમ કુલ મળીને રૂા.૨૦,૫૯,૮૦૦ ના મુદામાલ સાથે સ્થળ ઉપરથી ટ્રાન્સપોર્ટર આશીફ આમદભાઇ સીપાઇની પોલીસે ધરપકડ કરી હતી ત્યાર બાદ આ ગુનામાં રાજકોટના ટ્રાન્સપોર્ટર ગોપાલ પરબતભાઇ ભરવાડની ધરપકડ કરી હતી અને તે બંને આરોપીઓને રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે કરાયા હતા આ ગુનામાં તાલુકા પીઆઇ એન.આર. મકવાણા દ્વારા હાલમાં અમિતગિરિ સુરેશગીરી ગોસાઇ જાતે બાવાજી (૪૨) ધંધો ટ્રાન્સપોર્ટમાં નોકરી, રહે. ૫૩૮/ પોકેટ-૭ સેક્ટર એ-૧૦ નરેલા દિલ્હી વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીના રિમાન્ડ લેવા માટે ચક્રોગતિમાન કરેલ છે

પરણીતા દવા પી જતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે રહેતા પૂજાબેન દિલીપભાઈ ઝાપડા ભરવાડ નામની ૨૭ વર્ષીય પરિણીતા ગત તા.૨૧-૪ ના રાત્રિના નવેક વાગ્યે કોઈ કારણોસર ઝેરી દવા પી ગયા હતા.જેથી તેણીને અસર થતા ગત તા.૨૩ ના બપોરના બે વાગ્યાના અરસામાં તેઓને અત્રેની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ડી.ડી.જોગેલા દ્વારા આ બનાવ અંગે આગળની તપાસ તજવીજ શરૂ કરવામાં આવી હતી.પરણીતાનો લગ્નગાળો ઓછો હોય ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ બનાવના કારણ અંગે આગળની તજવીજ ચાલુ છે




Latest News