મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ગોડાઉનમાંથી ઝડપાયેલ સીરપના જથ્થાના ગુનામાં વધુ એક આરોપી પકડાયો


SHARE













મોરબીમાં ગોડાઉનમાંથી ઝડપાયેલ સીરપના જથ્થાના ગુનામાં વધુ એક આરોપી પકડાયો

મોરબીના લાતી પ્લોટમાં આવેલ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી કોડીનયુકત કફ સીરપનો જથ્થો પકડાયો હતો અને તે ગુનામાં અગાઉ મોરબી અને રાજકોટના ટ્રાન્સપોર્ટરની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરેલ છે અને આ ગુનામાં હાલમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ શ્રીહરીકૃપા ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી નશાકારક કોડીનયુકત કફ સીરપની ૧૦ હજાર બોટલો કિંમત ૨૦,૫૪,૮૦૦ તથા એક મોબાઇલ ફોન ૫,૦૦૦ એમ કુલ મળીને રૂા.૨૦,૫૯,૮૦૦ ના મુદામાલ સાથે સ્થળ ઉપરથી ટ્રાન્સપોર્ટર આશીફ આમદભાઇ સીપાઇની પોલીસે ધરપકડ કરી હતી ત્યાર બાદ આ ગુનામાં રાજકોટના ટ્રાન્સપોર્ટર ગોપાલ પરબતભાઇ ભરવાડની ધરપકડ કરી હતી અને તે બંને આરોપીઓને રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે કરાયા હતા આ ગુનામાં તાલુકા પીઆઇ એન.આર. મકવાણા દ્વારા હાલમાં અમિતગિરિ સુરેશગીરી ગોસાઇ જાતે બાવાજી (૪૨) ધંધો ટ્રાન્સપોર્ટમાં નોકરી, રહે. ૫૩૮/ પોકેટ-૭ સેક્ટર એ-૧૦ નરેલા દિલ્હી વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીના રિમાન્ડ લેવા માટે ચક્રોગતિમાન કરેલ છે

પરણીતા દવા પી જતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે રહેતા પૂજાબેન દિલીપભાઈ ઝાપડા ભરવાડ નામની ૨૭ વર્ષીય પરિણીતા ગત તા.૨૧-૪ ના રાત્રિના નવેક વાગ્યે કોઈ કારણોસર ઝેરી દવા પી ગયા હતા.જેથી તેણીને અસર થતા ગત તા.૨૩ ના બપોરના બે વાગ્યાના અરસામાં તેઓને અત્રેની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ડી.ડી.જોગેલા દ્વારા આ બનાવ અંગે આગળની તપાસ તજવીજ શરૂ કરવામાં આવી હતી.પરણીતાનો લગ્નગાળો ઓછો હોય ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ બનાવના કારણ અંગે આગળની તજવીજ ચાલુ છે








Latest News