મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ અઘારાની વરણી હળવદના સુંદરગઢ નજીકથી દારૂ ભરેલ કાર સાથે એક આરોપી પકડાયો: 4.60 લાખનો મુદામાલ કબ્જે: એકનું શોધખોળ મોરબીના ઘુંટુ ગામેથી યુવાન ગુમ મચ્છુકાંઠા રબારી સમાજનું ગૌરવ: મોરબીના ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડ બન્યા કલાસ-1 અધિકારી મોરબી મહાપાલિકાની બેઠકો માટે ભાજપમાં સેન્સ લેવા આવેલા આગેવાનોને એકપણ માજી સભ્યને ટિકિટ ન આપવા સામાજીક કાર્યકરે કરી રજૂઆત હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામે ચારોલા પરિવારના સ્નેહમિલનનું આયોજન: મયુરનગરમાં જોબનપુત્રા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન


SHARE











મોરબીના બેલા ગામે ચારોલા પરિવારના સ્નેહમિલનનું આયોજન: મયુરનગરમાં જોબનપુત્રા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન

મોરબી તાલુકાના બેલા (રં.) ગામે આગામી તા.૨૬ મે ના રોજ ચારોલા પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે માતાજી તથા સુરાપુરાદાદાના મંદિરે ધ્વજારોહણ તેમજ રાસ ગરબાનું પણ આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે.

હાલમાં આયોજકોએ જણાવ્યુ છે કે, આગામી તા. ૨૬ મે ના રોજ બેલા (રં.) ગામે ચારોલા પરિવાર દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે સાંજે ૪ કલાકે બહુચરાજી માતાજી તથા સુરાપુરા પરબતદાદાના મંદિરે ધ્વજારોહણ કરાશે અને ત્યાર બાદ સાંજે ૬:૩૦ કલાકે પટેલ સમાજવાડી ખાતે મહાપ્રસાદ અને રાતે ૮:૩૦ કલાકે પટેલ સમાજવાડી ખાતે રાસ ગરબા રાખવામા આવેલ છે જેથી ચરોલા પરિવારના તમામ લોકોને હાજર રહેવા માટે આયોજકોએ જણાવ્યુ છે.

શ્રીમદ ભાગવત સપ્તાહ
હળવદના મયુરનગરમાં ત્રિભોવનદાસ ત્રિકમજી જોબનપુત્રા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. અને જોબનપુત્રા પરિવારના પિતૃઓના મોક્ષાર્થે તા ૯ થી ૧૫ મે સુધી મયુરનગર ગામે આ કથા યોજાશે જેમાં કથાકાર જીજ્ઞેશદાદા (રાધે રાધે) શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે અને કથા દરરોજ સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ ચાલુ રહેશે અને ત્યાર બાદ દરરોજ મહાપ્રસાદ રાખવામા આવેલ છે આ કથાની સાથે તા ૧૦ મેના રોજ રાત્રે ૮:૦૦ કલાકે રાસગરબા, ૧૧ મેના રોજ રાત્રે ૮:૦૦ કલાકે સુંદરકાંડના પાઠ, તા ૧૩ મે ના રોજ રાત્રે ૮:૦૦ કલાકે શ્રીનાથજીની ઝાંખી, અને તા ૧૪ મેના રોજ રાત્રે ૮:૦૦ કલાકે રાજભા ગઢવી અને મનિષ આહીરનો લોક ડાયરો યોજાશે






Latest News