મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ અઘારાની વરણી હળવદના સુંદરગઢ નજીકથી દારૂ ભરેલ કાર સાથે એક આરોપી પકડાયો: 4.60 લાખનો મુદામાલ કબ્જે: એકનું શોધખોળ મોરબીના ઘુંટુ ગામેથી યુવાન ગુમ મચ્છુકાંઠા રબારી સમાજનું ગૌરવ: મોરબીના ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડ બન્યા કલાસ-1 અધિકારી મોરબી મહાપાલિકાની બેઠકો માટે ભાજપમાં સેન્સ લેવા આવેલા આગેવાનોને એકપણ માજી સભ્યને ટિકિટ ન આપવા સામાજીક કાર્યકરે કરી રજૂઆત હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી
Breaking news
Morbi Today

માત્ર ક્ષત્રિયો નહીં, અઢારેય વર્ણના મતદારો કરશે ભાજપ વિરુદ્ધ મતદાન: રમજુભા જાડેજા


SHARE











માત્ર ક્ષત્રિયો નહીં, અઢારેય વર્ણના મતદારો કરશે ભાજપ વિરુદ્ધ મતદાન: રમજુભા જાડેજા

રાજકોટ લોકસભાના બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલાએ ક્ષત્રિયા સમાજની બહેન દીકરી વિષે ટિપ્પણી કરી હતી જેને લઈને ક્ષત્રિય સમાજમાં ભારો ભાર રોષની લાગણી છે અને આંદોલનના પાર્ટ૨ માં ધર્મરથ કાઢવામાં આવ્યા હતા અને મોરબી જીલ્લામાં જે ધર્મરથ કાઢવામાં આવ્યો હતો તેનું આજે શક્તિ માતાજીનાં મંદિરે સમાપન કરવામાં આવ્યું હતું અને લોકોશાહી ઢબે અઢારેય વર્ણના મતદારો ભાજપ વિરુદ્ધ મતદાન કરશે તેવો મોરબી જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખ તેમજ રાજપૂત સમાજ સંકલન સમિતિના સંયોજકવિશ્વાસ વ્યક્ત કરેલ છે

લોકસભાની ચૂંટણી માટેનું આગામી તા ૭ રોજ મતદાન થવાનું છે ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપની સામે આંદોલનના પાર્ટ૨ શરૂ કરવામાં આવ્યું હતું તે અંતર્ગત ગુજરાતભરમાં ભાજપના વિરુદ્ધમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે લોકોને જાગૃત કરવા માટે ક્ષત્રિય સમાજ અને રાજપૂત કરણી સેના દ્વારા ધર્મરથ કાઢવામાં આવ્યો હતો ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી નજીકના શનાળા ગામે આવેલ શક્તિ માતાજીનાં મંદિરેથી મોરબી જિલ્લાના માળીયા, મોરબી અને ટંકારા તાલુકા માટે ભાજપ વિરુદ્ધ મતદાનની અપીલ સાથે ધર્મરથ કાઢવામાં આવ્યો હતો જે રથ આજે મોરબીમાં આવ્યો હતો અને મોરબીના મહારાણા પ્રતાપ સર્કલથી લઈને શનાળા શક્તિ માતાજીનાં મંદિર સુધી મોરબી જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખ જયદેવસિંહ જાડેજારાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ મહામંત્રી કે.ડીજાડેજા, રાજપૂત સંકલન સમિતિના મુખ્ય સંયોજક રમજુભા જાડેજા અને મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલાની આગેવાનીમાં રેલી યોજાઇ હતી અને શક્તિ માતાજીનાં મંદિરે ધર્મરથનું સમાપન કરવામાં આવ્યું હતું આ રેલીમાં મોરબીમાં માર્ગો જય ભવાનીભાજપ જવાની સહિતના સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠયા હતા અને ક્ષત્રિય અસ્મિતા અને સ્વાભિમાનની લડતમાં અઢારેય વર્ણના લોકો ક્ષત્રિય સમાજની સાથે છે અને આગામી તા.૭ ના રોજ ગુજરાતમાં ભાજપ વિરુદ્ધ વધુમાં વધુ મતદાન કરવામાં આવશે તેવો આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કરેલ છે






Latest News