મોરબી પેપર મિલ એસોના પમુખની પુત્રીએ ધો.૧૦ માં જ્વલંત સિદ્ધિ મેળવી
મોરબી જલારામ પ્રાર્થના મંદિરે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજીને સગાઈ પ્રસંગ તેમજ જન્મ ઉજવણી કરતા તબિબ
SHARE
મોરબી જલારામ પ્રાર્થના મંદિરે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજીને સગાઈ પ્રસંગ તેમજ જન્મ ઉજવણી કરતા તબિબ
અનેક પ્રકારની માનવસેવા કરતા મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો સેવાયજ્ઞ ચલાવવામા આવે છે.ત્યારે મોરબીના ડો.સાવનભાઈ અઘારા તથા ડો.સ્વાતિબેન રાંકજા કે જેઓની સગાઈ તાજેતરમાં થઈ હોય તેમના સગાઈ પ્રસંગ તેમજ ડો.સ્વાતિબેન રાંકજાના જન્મદીનની ઉજવણી સદાવ્રતમા મહાપ્રસાદ યોજીને કરી હતી.આ તકે અશોકભાઈ ભીમજીભાઈ અઘારા, ડો.સાવનભાઈ અઘારા, ડો.સ્વાતિબેન રાંકજા સહીતનાઓએ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના હસ્તે પ્રસાદ વિતરણનો લાભ લીધો હતો.હાલના સમયે લોકો પોતાના સગાઈ પ્રસંગ તેમજ જન્મદીનની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબીના ડો.સાવનભાઈ અઘારા તથા ડો.સ્વાતિબેન અઘારાએ સેવા કાર્યમા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે.તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ, અનિલભાઈ સોમૈયા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ સગાઈ તેમજ જન્મદીનની શુભકામનાઓ પાઠવી હતી.