હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ
Breaking news
Morbi Today

મોરબી-માળીયા તાલુકાનાં ૧૦ ગામના તળાવ ભરવા માટે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની રજૂઆત


SHARE











મોરબી-માળીયા તાલુકાનાં ૧૦ ગામના તળાવ ભરવા માટે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની રજૂઆત

ટંકારા પડધરી બેઠકના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મોરબી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી છે જેમાં તેને જુદા જુદા ૧૦ જેટલા ગામના તળાવો ભરવા માટે થઈને ભલામણ કરી છે અને ધારાસભ્ય દ્વારા જે પત્ર લખવામાં આવ્યું છે તેમાં તેણે જણાવ્યું છે કે મચ્છુ-૨ ના દરવાજા બદલવા માટેની જે કામગીરી કરવાની છે તેના માટે મચ્છુ-૨ ડેમમાંથી પાણી ખાલી કરવાનું છે અને આ પાણી જો મચ્છુ-૨ ડેમ પાસેથી નીકળતી કેનાલ મારફતે છોડવામાં આવશે તો બરવાળા, બગથળા, લૂંટાવદર, પીપળીયા, નાનીવાવડી, બીલીયા, મોડપર, નારણકા, ખેવારિયા, દેરાળા, ફગસિયા, સહિતના ગામના તળાવો સુધી પાણી પહોંચાડી શકાય તેમ છે અને ગામના તળાવમાં પાણી ભરાઈ જાય તો ઉનાળામાં અબોલ જીવ માટે પાણીનો પ્રશ્ન ઉકેલાઈ જાય તેની સાથે આ ગામના લોકોને પણ પાણી ઉપયોગમાં આવી શકે તેમ છે. અત્રે ઉલ્લેખીએ છે કે મચ્છુ-૨ માંથી નીકળતી કેનાલમાં રીપેરીંગ કામ ચાલુ છે ત્યાં કાચા પાળા કરીને પાણી છોડવામાં આવે તો ઉપરોક્ત ગામના તળાવો સુધી પાણી પહોંચાડી શકાય તેમ છે તેવું ધારાસભ્ય કહી રહ્યા છે પરંતુ અધિકારીના કહેવા મુજબ જો કેનાલમાં પાણી છોડવામાં આવે તો તે કાચા પાળા રહે નહીં અને ખેડૂતોના ખેતરમાં નુકસાન થાય તેવી સ્થિતિનું નિર્માણ થાય તેમ છે જેથી કરીને મચ્છુ ડેમમાંથી નીકળતી કેનાલમાં હાલમાં પાણી છોડી શકાય તેમ નથી






Latest News