મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી તાલુકાનાં જુદાજુદા ગામડાઓના રસ્તાનું મંત્રી બ્રિજેશભાઇ મેરજા કરશે ખાતમુહૂર્ત


SHARE











મોરબી તાલુકાનાં જુદાજુદા ગામડાઓના રસ્તાનું મંત્રી બ્રિજેશભાઇ મેરજા કરશે ખાતમુહૂર્ત

માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના મોરબી જિલ્લામાં ૨૧.૫૫ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર નવીન માર્ગોનું મંત્રી બ્રિેજેશભાઇ મેરજાના હસ્તે ખાતમૂહુર્ત કાર્યક્રમનું આયોજન ગુરૂવારના રોજ  કરવામાં આવ્યું છે. શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસના રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને મોરબી તાલુકાના નેશનલ હાઇવે થી હરીપર (કે) રોડનું મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બાંધકામ કરવાના કામનું ખાતમુહૂર્ત તા.૨૧/૧૦ ગુરૂવારના રોજ  યોજાનાર છે.

નવા બનનાર રોડમાં જેતપર રાપર રોડ, રંગપર જીવાપર રોડ, જીવાપર ચકમપર રોડ, સ્ટેટ હાઇવે થી જસમતગઢ, વાઘપર પીલુડી ગાળા રોડ, ધુળકોટ બાદનપર ફાટસર રોડ, નેશનલ હાઇવે થી ગુંગણ નારણકા રોડ, નેશનલ હાઇવે થી હરીપર કેરાળા રોડ, નેશનલ હાઇવે થી સોખડા રોડ, નેશનલ હાઇવે થી બહાદુરગઢ રોડ, ભડીયાદ જોધપર (ન) એપ્રોચ રોડ, મોરબી ધરમપુર સાદુળકા રોડ, નેશનલ હાઇવેથી ટીંબડી રોડ, નવી સાદુળકા થી હરીપર (કે) રોડ, મોરબી રફાળેશ્વર રોડ, સ્ટેટ હાઇવે થી બરવાળા એપ્રોચ રોડ, કોસ્ટલ હાઇવે થી પીપળીયા રોડ, કોસ્ટલ હાઇવે થી વિરપરડા એપ્રોચ રોડ, મેઇન ડિસ્ટ્રીકટ રોડ થી થોરાળા એપ્રોચ રોડ સુધીના કામોનું મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. ગુરૂવારે સવારે ૯.૦૦ વાગ્યા થી સાંજના ૭.૦૦ વાગ્યા સુધી વિવિધ ગામોમાં મંત્રીના હસ્તે ખાતમુહૂર્તના કાર્યકમો યોજશે. આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયા, સાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા ઉપરાંત જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી એ.પી.એમ.સી.ના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ લોરીયા સહિત જિલ્લા પંચાયતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.






Latest News