મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડનો બનાવ : નવા બનતા બહુમાળી બીલ્ડીંગના પાંચમા માળેથી પટકાતાં યુવાનનું મોત


SHARE







મોરબીના પંચાસર રોડનો બનાવ : નવા બનતા બહુમાળી બીલ્ડીંગના પાંચમા માળેથી પટકાતાં યુવાનનું મોત

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ પુષ્કરધામ સોસાયટીમાં નવા બની રહેલા બિલ્ડીંગના પાંચમાં માળે પાણી છાંટતા સમયે પગ લપસી જવાથી પાંચમાં માળેથી નીચે પટકાયેલા રાજસ્થાની યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના પંચાસર રોડ ઉપર પુષ્કરધામ સોસાયટી આવેલી છે જેમાં નીલકંઠ એપાર્ટમેન્ટના નામે નવું બહુમાળી બીલ્ડીંગનું બાંધકામ થઇ રહ્યું છે તેના પાંચમાં માળે પાણી પાતા સમયે પગ લપસી જવાથી પાંચમાં માળની ઊંચાઈએથી નીચે પટકાતા માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાથી અર્જુનરામ લુણારામ જોરટ જાતે જાટ (ઉમર ૧૮) હાલ રહે. પંચાસર રોડ પુષ્કરધામ સોસાયટી મોરબી મૂળ રહે.ખીમસર તાલુકો બાયતુ જીલ્લો બાડમેર રાજસ્થાન નામના રાજસ્થાની મજુર યુવાનનું મોત નીપજયું હતું.બનાવને પગલે એ ડિવિજન પોલીસ મથકના વી.પી.છાસીયાએ આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના સોખડા ગામના રહેવાસી રવુભા દેવરાજભા  બળદા જાતે ગઢવી (૩૪) અને ભીખુભા નટુભા નામના બે યુવાનો બાઈકમાં સોખડા ગામ નજીકથી જતા હતા ત્યારે તેઓના બૈઇકની આડે રોજડુ(જંગલી પ્રાણી) આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા રવુભા અને ભીખુભાને આયુષ હોસ્પિટલે સારવારમાં લઇ જવાયા હતા જ્યાંથી વધુ ઈજાગ્રસ્ત ભીખુભા નટુભાને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.






Latest News