મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં રીક્ષાને હડફેટે લઇ પાંચને ઇજા પહોંચાડનાર કાર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE













મોરબીમાં રીક્ષાને હડફેટે લઇ પાંચને ઇજા પહોંચાડનાર કાર ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા રોકડીયા હનુમાન મંદિર નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રીક્ષાને હડફેટે લઇને પાંચ લોકોને ઇજા પહોંચાડનાર કાર ચાલક સામે ગુનો નોંધાવા પામ્યો છે.

મોરબીના નવલખી રોડ રોકડીયા હનુમાન મંદિર નજીક કાર ચાલકે ઓટો રીક્ષાને હડફેટે લીધી હતી જે બનાવમાં માનસર ગામના યોગેશ રામલાલ પડવી (૨૩), શામજી સુરેશ પંસારા (૧૫), અમિત વનુ પંસારા (૧૭), ગોવિંદ સુરેશ પંસારા (૧૩) અને રસીદ વિજયસિંગ ઠાકોર (૪૨) ને ઇજાઓ થતા આયુષ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.જે બનાવ સંદર્ભે સારવાર લીધા બાદ સુરેશભાઈ વશરામભાઈ પંસારા જાતે દેવીપુજક (૪૦) રહે.માનસર વાળાએ હુન્ડાઇ કંપનીની કાર નંબર જીજે ૧ કેબી ૦૦૭૩ ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સટેબલ મનીષભાઈ બારૈયાએ આગળની તપાસ હાથ ધરી છે.

બીમારી સબબ મહિલાનું મોત

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલા કાચા સિરામિકમાં રહીને મજૂરીકામ કરતાં સુકલીબેન જતીયાભાઈ પટેલ જાતે કોળી નામની ૩૩ વર્ષીય મજુર મહિલાનું બીમારી સબબ મોત નીપજયું હતું.જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેર સિવિલ ખાતે ખસેડાયો હતો. મૃતક સુકલીબેન કોળી પટેલનો લગ્નગાળો ૧૬ વર્ષનો હોવાનું અને તેઓને સંતાનમાં બે બાળકો હોવાનું જાણવા મળેલ છે.હેડ કોન્સ્ટેબલ જે.જી.ઝાલાએ બનાવની આગળની તપાસ હાથ ધરી છે.






Latest News