મોરબીમાં દેશી-વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલા સહિત ચાર પકડાયા
મોરબીમાં રીક્ષાને હડફેટે લઇ પાંચને ઇજા પહોંચાડનાર કાર ચાલક સામે ગુનો નોંધાયો
SHARE
મોરબીમાં રીક્ષાને હડફેટે લઇ પાંચને ઇજા પહોંચાડનાર કાર ચાલક સામે ગુનો નોંધાયો
મોરબીના નવલખી રોડ ઉપર આવેલા રોકડીયા હનુમાન મંદિર નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રીક્ષાને હડફેટે લઇને પાંચ લોકોને ઇજા પહોંચાડનાર કાર ચાલક સામે ગુનો નોંધાવા પામ્યો છે.
મોરબીના નવલખી રોડ રોકડીયા હનુમાન મંદિર નજીક કાર ચાલકે ઓટો રીક્ષાને હડફેટે લીધી હતી જે બનાવમાં માનસર ગામના યોગેશ રામલાલ પડવી (૨૩), શામજી સુરેશ પંસારા (૧૫), અમિત વનુ પંસારા (૧૭), ગોવિંદ સુરેશ પંસારા (૧૩) અને રસીદ વિજયસિંગ ઠાકોર (૪૨) ને ઇજાઓ થતા આયુષ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.જે બનાવ સંદર્ભે સારવાર લીધા બાદ સુરેશભાઈ વશરામભાઈ પંસારા જાતે દેવીપુજક (૪૦) રહે.માનસર વાળાએ હુન્ડાઇ કંપનીની કાર નંબર જીજે ૧ કેબી ૦૦૭૩ ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સટેબલ મનીષભાઈ બારૈયાએ આગળની તપાસ હાથ ધરી છે.
બીમારી સબબ મહિલાનું મોત
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલા કાચા સિરામિકમાં રહીને મજૂરીકામ કરતાં સુકલીબેન જતીયાભાઈ પટેલ જાતે કોળી નામની ૩૩ વર્ષીય મજુર મહિલાનું બીમારી સબબ મોત નીપજયું હતું.જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેર સિવિલ ખાતે ખસેડાયો હતો. મૃતક સુકલીબેન કોળી પટેલનો લગ્નગાળો ૧૬ વર્ષનો હોવાનું અને તેઓને સંતાનમાં બે બાળકો હોવાનું જાણવા મળેલ છે.હેડ કોન્સ્ટેબલ જે.જી.ઝાલાએ બનાવની આગળની તપાસ હાથ ધરી છે.