મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

હળવદના કડિયાણા પાસે ગરમીના કારણે ચક્કર આવતા પડી ગયેલ યુવાનનું મોત


SHARE













હળવદના કડિયાણા પાસે ગરમીના કારણે ચક્કર આવતા પડી ગયેલ યુવાનનું મોત

હળવદ તાલુકાના કડીયાણાથી પાંડાતીરથ ગામ તરફ જવાના રસ્તા ઉપર ખારા પટ્ટના ખરાબામાંથી યુવાન કરિયાણું લેવા માટે તેને ઘરેથી જઈ રહ્યો હતો ત્યારે તેને ગરમીના લીધે ચક્કર આવતા તે પડી ગયો હતો અને કુદરતી રીતે તેનું ત્યાં મોત નીપજ્યું હતું અને તેની બોડી ત્યાંથી મળી આવતા આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મુતકના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના નારકોટ ગામના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના માનસર ગામના પ્રવીણભાઈ મનસુખભાઈ ચાવડાની કડીયાણા ગામની સીમમાં આવેલ વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા કરણભાઈ જયંતીભાઈ વણકર જાતે અનુ. જાતી (૨૩) નામના યુવાનનો કડીયાણા ગામથી પાંડાતીર્થ ગામ તરફ જવાના રસ્તા ઉપર ખારા પટના ખરાબા પાસેથી મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને આ અંગેની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ મૃતકના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાન વાડીએથી કરિયાણું લેવા માટે જઈ રહ્યો હતો ત્યારે ગરમીના કારણે તેને ચક્કર આવી ગયા હતા અને તે પડી જતા તેનું કુદરતી રીતે મોત નીપજ્યું હતું જે અંગેની હળવદ પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે






Latest News