હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગ માલિકોને ફાયરની ટીમે ફટકારી નોટિસ માળીયા (મી) દેવ સોલ્ટ ફાઉન્ડેશન દ્વારા શાળા પ્રવેશોત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું માળીયા (મી)ના ચમનપર ગામે ડૉ. પ્રશાંત મેરજા સ્મૃતિ ગેટનું સાદગીપૂર્ણ લોકાર્પણ મોરબી મહાનગરપાલિકા  દ્રારા મંત્રી અને મેયરની હાજરીમાં જન કલ્યાણ શિબિર કાર્યક્રમ યોજાયો મોરબી ABVP દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ઊજવણી કરાઇ
Breaking news
Morbi Today

હળવદના કડિયાણા પાસે ગરમીના કારણે ચક્કર આવતા પડી ગયેલ યુવાનનું મોત


SHARE











હળવદના કડિયાણા પાસે ગરમીના કારણે ચક્કર આવતા પડી ગયેલ યુવાનનું મોત

હળવદ તાલુકાના કડીયાણાથી પાંડાતીરથ ગામ તરફ જવાના રસ્તા ઉપર ખારા પટ્ટના ખરાબામાંથી યુવાન કરિયાણું લેવા માટે તેને ઘરેથી જઈ રહ્યો હતો ત્યારે તેને ગરમીના લીધે ચક્કર આવતા તે પડી ગયો હતો અને કુદરતી રીતે તેનું ત્યાં મોત નીપજ્યું હતું અને તેની બોડી ત્યાંથી મળી આવતા આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મુતકના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના નારકોટ ગામના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના માનસર ગામના પ્રવીણભાઈ મનસુખભાઈ ચાવડાની કડીયાણા ગામની સીમમાં આવેલ વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા કરણભાઈ જયંતીભાઈ વણકર જાતે અનુ. જાતી (૨૩) નામના યુવાનનો કડીયાણા ગામથી પાંડાતીર્થ ગામ તરફ જવાના રસ્તા ઉપર ખારા પટના ખરાબા પાસેથી મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને આ અંગેની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ મૃતકના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાન વાડીએથી કરિયાણું લેવા માટે જઈ રહ્યો હતો ત્યારે ગરમીના કારણે તેને ચક્કર આવી ગયા હતા અને તે પડી જતા તેનું કુદરતી રીતે મોત નીપજ્યું હતું જે અંગેની હળવદ પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે






Latest News