મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના બરવાળા પાસે ચાલુ ટ્રેનેમાંથી કોઇએ નીચે ધક્કો મારી દેતા ઇજા પામેલ આધેડનું સારવાર દરમ્યાન મોત


SHARE











મોરબીના બરવાળા પાસે ચાલુ ટ્રેનેમાંથી કોઇએ નીચે ધક્કો મારી દેતા ઇજા પામેલ આધેડનું સારવાર દરમ્યાન મોત

મોરબી જિલ્લાના બરવાળા ગામ પાસેથી કામખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ રહી હતી.ત્યારે તે એક્સપ્રેસ ટ્રેનમાં બેઠેલા આધેડ વ્યક્તિને કોઈ અજાણ્ય વ્યક્તિએ ટ્રેનમાંથી નીચે ધક્કો મારી દીધો હતો.(મૃતકના સગાના કહેવા મુજબ) જેથી કરીને આધેડને માથામાં અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તે આધેડ વ્યક્તિને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.

 

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે આવેલ જીગર કંપનીમાં રહેતા અને કામ કરતા બનેશ્વર બીપીન બસુમ મોરારી (બાનેશ્વર બિપીન બાસુમયાત્રા) (ઉમર ૫૩) રહે.કોકસજાટ આસામ નામના આધેડ ગઈકાલે તા.૭-૬-૨૪ ના રાત્રીના ૧૧:૩૦ વાગ્યાના અરસામાં કામખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને મોરબી જિલ્લાના મોરબી તાલુકામાં આવેલા બરવાળા રેલ્વે સ્ટેશન પાસેથી ટ્રેનમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રેનમાં રહેલ કોઈ અજાણ્યા વ્યક્તિએ ચાલુ ટ્રેને તેઓને ધક્કો મારી દીધો હતો.જેથી કરીને આધેડને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજા થઈ હતી.જેથી તેને પ્રથમ સારવાર માટે તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી બેભાન હાલતમાં તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે આધેડનું મોત નીપજયું હતું.જેથી કરીને હત્યા જેવા આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરી છે.

સાપ કરડી જતા સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ નજીક સકુરા ટાઇલ્સ નામના યુનિટમાં લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા ક્રિષ્નાભાઈ કુલસીભાઈ (ઉંમર ૩૦) અને ઓલચીબેન કુલસીભાઈ (ઉંમર ૨૯) ને ગત તા.૫ ના રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં નિંદ્રાદિન અવસ્થામાં સાપ કરડી જવાથી બંનેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પીટલે લાવવામાં આવ્યા હતા.જયાં બંનેની સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ સંદર્ભે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.
બાઈક સ્લીપ થતા ઇજાગ્રસ્ત સારવારમાં
મોરબીના રવાપર ગામ પાસે બાઈક સ્લીપ થઈ જવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં મોરબીના રવાપર રોડ ઉમિયાનગર પાસે હનુમાન મંદિરની પાછળ રહેતા પરેશભાઈ કાનજીભાઈ ભીમાણી નામના ૩૫ વર્ષના યુવાનને ઇજાઓ પહોંચતા તેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ સીટી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવતા સ્ટાફના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આ બનાવીને નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.





Latest News