મોરબીમાં લીલાપર રોડનો વિકાસ-બ્યુટીફીકેશન માટે 13.31 કરોડનું ટેન્ડર પ્રસિદ્ધ મોરબીમાં કેમ મનપા વેપારીઓ પાસેથી મંડપનો ચાર્જ રાજકોટ કરતાં પણ વધુ ઉઘરાવે છે: શહેર કોંગ્રેસ પ્રમુખનો સવાલ મોરબીમાં ઉધારમાં ટાઇલ્સનો માલ લઈને આપવામાં આવેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા મોરબીના 602 જમીન કૌભાંડમાં ઝડપાયેલ તલાટી મંત્રી અને રેવન્યુ રેકર્ડ ઉપર જન્મી ગયેલ દીકરીના દીકરાના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મનપાની ફાયર શાખા દ્વારા લોકોને ફાયર પ્રિવેન્શન તાલીમ અપાઈ મોરબી જીલ્લામાં દરરોજનો 25,000 લિટર જેટલો દેશી દારૂ વેચાઈ પણ સ્થાનિક પોલીસને મળે માત્ર બે કે પાંચ લીટરના કેસ!: જિલ્લા કોંગ્રેસ મોરબીમાં વ્યાજખોરી, રોમિયોગીરી, લૂખ્ખગીરીના ભોગ બનેલા 10 જેટલા પરિવારોએ પાટીદાર યુવા સેવા સંઘની આગેવાનીમાં કરી DYSP ને રજૂઆત મોરબીના ઘૂટું રોડે અંદાજે 25 થી વધુ દુકાનો-ઓરડીઓને જેસીબીથી મનપાની ટીમે તોડી પડી
Breaking news
Morbi Today

મોરબીના બરવાળા પાસે ચાલુ ટ્રેનેમાંથી કોઇએ નીચે ધક્કો મારી દેતા ઇજા પામેલ આધેડનું સારવાર દરમ્યાન મોત


SHARE













મોરબીના બરવાળા પાસે ચાલુ ટ્રેનેમાંથી કોઇએ નીચે ધક્કો મારી દેતા ઇજા પામેલ આધેડનું સારવાર દરમ્યાન મોત

મોરબી જિલ્લાના બરવાળા ગામ પાસેથી કામખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ રહી હતી.ત્યારે તે એક્સપ્રેસ ટ્રેનમાં બેઠેલા આધેડ વ્યક્તિને કોઈ અજાણ્ય વ્યક્તિએ ટ્રેનમાંથી નીચે ધક્કો મારી દીધો હતો.(મૃતકના સગાના કહેવા મુજબ) જેથી કરીને આધેડને માથામાં અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તે આધેડ વ્યક્તિને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.

 

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે આવેલ જીગર કંપનીમાં રહેતા અને કામ કરતા બનેશ્વર બીપીન બસુમ મોરારી (બાનેશ્વર બિપીન બાસુમયાત્રા) (ઉમર ૫૩) રહે.કોકસજાટ આસામ નામના આધેડ ગઈકાલે તા.૭-૬-૨૪ ના રાત્રીના ૧૧:૩૦ વાગ્યાના અરસામાં કામખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને મોરબી જિલ્લાના મોરબી તાલુકામાં આવેલા બરવાળા રેલ્વે સ્ટેશન પાસેથી ટ્રેનમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રેનમાં રહેલ કોઈ અજાણ્યા વ્યક્તિએ ચાલુ ટ્રેને તેઓને ધક્કો મારી દીધો હતો.જેથી કરીને આધેડને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજા થઈ હતી.જેથી તેને પ્રથમ સારવાર માટે તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી બેભાન હાલતમાં તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે આધેડનું મોત નીપજયું હતું.જેથી કરીને હત્યા જેવા આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરી છે.

સાપ કરડી જતા સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ નજીક સકુરા ટાઇલ્સ નામના યુનિટમાં લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા ક્રિષ્નાભાઈ કુલસીભાઈ (ઉંમર ૩૦) અને ઓલચીબેન કુલસીભાઈ (ઉંમર ૨૯) ને ગત તા.૫ ના રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં નિંદ્રાદિન અવસ્થામાં સાપ કરડી જવાથી બંનેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પીટલે લાવવામાં આવ્યા હતા.જયાં બંનેની સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ સંદર્ભે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.
બાઈક સ્લીપ થતા ઇજાગ્રસ્ત સારવારમાં
મોરબીના રવાપર ગામ પાસે બાઈક સ્લીપ થઈ જવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં મોરબીના રવાપર રોડ ઉમિયાનગર પાસે હનુમાન મંદિરની પાછળ રહેતા પરેશભાઈ કાનજીભાઈ ભીમાણી નામના ૩૫ વર્ષના યુવાનને ઇજાઓ પહોંચતા તેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ સીટી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવતા સ્ટાફના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આ બનાવીને નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.





Latest News