મોરબીની નવયુગ કોલેજમાં પ્રથમ વર્ષના વિધાર્થીઓના સ્વાગતોત્સવ કાર્યક્રમમાં સાંઇરામ દવેનું પ્રેરક ઉદ્બોધન મોરબીના નાગડાવાસ પાસેનો બનાવ રીક્ષા ભેંસની સાથે અથડાતા બે લોકો સારવારમાં મોરબી નજીક કારખાના સિક્યુરિટી ગાર્ડનું હાર્ટ એટેકથી મોત મોરબી તાલુકા સેવા સદન ખાતે એજન્સીના સ્ટાફને બેસવા માટેની જગ્યા ન ફાળવતા સ્ટેમ્પ પેપર મળવાનું બંધ !: અરજદારો હેરાન મોરબી શહેર-તાલુકામાં દારૂની ત્રણ રેડ: બે મહિલા સહિત ત્રણ આરોપી 63 બોટલ દારૂ સાથે પકડાયા ટંકારાના સરાયા-હીરાપર વચ્ચે બે બોલેરો ગાડી અથડાતાં ઘૂટું ગામે રહેતા યુવાનનું મોત: બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી માટીની આડમાં દારૂની હેરાફેરી: વાંકાનેર તાલુકામાં હોટલના ગ્રાઉન્ડમાંથી 816 બોટલ દારૂ ભરેલ ટ્રક ટ્રેલર ઝડપાયું, 29.34 લાખના મુદામાલ સાથે બે પકડ્યા, બેની શોધખોળ વાંકાનેરમાં પત્રકાર ભાટી એન. ઉપર ધારાસભ્યએ હુમલો કર્યાનો આક્ષેપ: મોબાઇલમાં લીધેલ વિડીયો ડીલીટ કર્યો છે, કોઈ મારામારી કરલે નથી: જીતુભાઈ સોમાણી
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકાના વાધરવા ગામની સીમમાં ચાર વર્ષનો બાળક ડીઝલ પી જતા સારવારમાં


SHARE

















માળીયા (મી) તાલુકાના વાધરવા ગામની સીમમાં ચાર વર્ષનો બાળક ડીઝલ પી જતા સારવારમાં

માળીયા મીયાણા તાલુકાના વાધરવા ગામની સીમમાં રહેતા પરિવારનો ચાર વર્ષનો બાળક રમતા રમતા ડીઝલ પી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે જેતપર ગામે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના વાધરવા ગામની સીમમાં રહેતા અને મજૂરી કામ કરતા દલસિંગ આદિવાસીનો ચાર વર્ષનો દીકરો ઇશાન ત્યાં વાડીએ રમતા રમતા ડીઝલ પી ગયો હતો જેથી કરીને તે બાળકને તાત્કાલિક સારવાર માટે જેતપર ગામે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક તપાસ વિજયભાઈ ડાંગર દ્વારા કરવામાં આવે છે

જુદી જુદી બે મારામારીમાં ઇજા પામેલ ચાર વ્યક્તિ સારવારમાં

મોરબીના ત્રાજપર વિસ્તારમાં મારામારીની બે ઘટના બની હતી જેમાં ઇજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં આવ્યા હતા જેની પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા રાહુલ ગણેશભાઈ સોલંકી અને જલારામ રૂપસિંહ નામના બે વ્યક્તિઓને મારામારીના બનાવવામાં ઈજા થતાં ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી આવી જ રીતે મૂળ ભોપાલના રહેવાસી અને હાલમાં મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા રાધાબેન દુર્ગેશભાઈ આદિવાસી (૨૫) અને દુર્ગેશભાઈ બાબુભાઈ (૩૦) નામના બે વ્યક્તિઓને મારામારીના બનાવમાં ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને અજાણ્યા શખ્સ દ્વારા આ દંપતીને માર મારવામાં આવ્યો હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે




Latest News