તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ગૌચરના દબાણો દુર કરીને બેદરકાર અધિકારી સામે પગલાં લેવા રમેશભાઈ રબારીએ મહેસુલ મંત્રીને કરી રજૂઆત


SHARE











મોરબીમાં ગૌચરના દબાણો દુર કરીને બેદરકાર અધિકારી સામે પગલાં લેવા રમેશભાઈ રબારીએ મહેસુલ મંત્રીને કરી રજૂઆત

મોરબી જિલ્લામાં આવેલ ગૌચરની જગ્યા પર થયેલ દબાણ દૂર કરવા તથા દબાણકર્તા અને તેને સમર્થન કરનાર સ્થાનિક અધિકારી સામે લેન્ડગ્રેબિંટ એકટ હેઠળ ધોરણસર પગલા લેવા રમેશભાઈ રબારીએ મહેસુલ મંત્રીને રજૂઆત કરી છે  

મોરબી જિલ્લામાં મોટા પ્રમાણમાં ગૌચરની રીઝર્વ રાખેલ જગ્યા પર અનધિકૃત દબાણો થયા છે જેના કારણે માલધારી સમાજ ભારે પરેશાન છે. અને પશુઓ માટે ચરિયાણની વ્યવસ્થા નથી ત્યારે આવા ગૌચરો ઉપર સંબંધકર્તા લોકોએ ભારે મોટા પ્રમાણમાં દબાણો કરેલ છે આ બાબત સ્થાનિક જવાબદાર તંત્રની જાણમાં હોવા છતાં આ દબાણો દૂર થતા નથી અથવા તો ઈરાદાપૂર્વક દબાણઓ હટાવવામાં આવતા નથી. જેથી રાજયના મહેસુલ મંત્રીને મોરબીના માલધારી સમાજના આગેવાન રમેશભાઈ રબારીએ લેખીત રજૂઆત કરીને ગૌચરના દબાણો દુર કરાવવા માટે વધુ એક વખત રજૂઆત કરેલ છે.

વધુમાં તેમણે એવિ પણ રજૂઆત કરેલ છે કે, ગૌચરોની જમીનના દબાણો દુર કરી દબાણકર્તાઓ સામે લેન્ડગ્રેબિંગ એકટ હેઠળ પગલા લઈ તેમજ આ દબાણો હોવાનું તેમજ અમુક કિસ્સામાં તો લેખીત ફરીયાદો હોવા છતા દબાણને નજર અંદાજ કરનાર સંલગ્ન અધિકારીઓ સામે પણ લેન્ડ ગ્રેબિંટ એકટ હેઠળ કડક પગલા લેવામાં આવે તેવી રમેશભાઇ રબારીએ માંગ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, વખતો વખત અનેક રજુઆતો કરવા છતા પણ પગલા લેવાયેલ નથી તેમજ સ્થાનીક કલેકટરને પણ આ મુદદે અનેક રજૂઆતો કરવા છતા પગલા લેવાતા નથી તેમ રમેશભાઇએ આક્રોશપુર્વક અખબારી યાદીમાં જણાવેલ છે.






Latest News