મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીમાં ગૌચરના દબાણો દુર કરીને બેદરકાર અધિકારી સામે પગલાં લેવા રમેશભાઈ રબારીએ મહેસુલ મંત્રીને કરી રજૂઆત


SHARE

















મોરબીમાં ગૌચરના દબાણો દુર કરીને બેદરકાર અધિકારી સામે પગલાં લેવા રમેશભાઈ રબારીએ મહેસુલ મંત્રીને કરી રજૂઆત

મોરબી જિલ્લામાં આવેલ ગૌચરની જગ્યા પર થયેલ દબાણ દૂર કરવા તથા દબાણકર્તા અને તેને સમર્થન કરનાર સ્થાનિક અધિકારી સામે લેન્ડગ્રેબિંટ એકટ હેઠળ ધોરણસર પગલા લેવા રમેશભાઈ રબારીએ મહેસુલ મંત્રીને રજૂઆત કરી છે  

મોરબી જિલ્લામાં મોટા પ્રમાણમાં ગૌચરની રીઝર્વ રાખેલ જગ્યા પર અનધિકૃત દબાણો થયા છે જેના કારણે માલધારી સમાજ ભારે પરેશાન છે. અને પશુઓ માટે ચરિયાણની વ્યવસ્થા નથી ત્યારે આવા ગૌચરો ઉપર સંબંધકર્તા લોકોએ ભારે મોટા પ્રમાણમાં દબાણો કરેલ છે આ બાબત સ્થાનિક જવાબદાર તંત્રની જાણમાં હોવા છતાં આ દબાણો દૂર થતા નથી અથવા તો ઈરાદાપૂર્વક દબાણઓ હટાવવામાં આવતા નથી. જેથી રાજયના મહેસુલ મંત્રીને મોરબીના માલધારી સમાજના આગેવાન રમેશભાઈ રબારીએ લેખીત રજૂઆત કરીને ગૌચરના દબાણો દુર કરાવવા માટે વધુ એક વખત રજૂઆત કરેલ છે.

વધુમાં તેમણે એવિ પણ રજૂઆત કરેલ છે કે, ગૌચરોની જમીનના દબાણો દુર કરી દબાણકર્તાઓ સામે લેન્ડગ્રેબિંગ એકટ હેઠળ પગલા લઈ તેમજ આ દબાણો હોવાનું તેમજ અમુક કિસ્સામાં તો લેખીત ફરીયાદો હોવા છતા દબાણને નજર અંદાજ કરનાર સંલગ્ન અધિકારીઓ સામે પણ લેન્ડ ગ્રેબિંટ એકટ હેઠળ કડક પગલા લેવામાં આવે તેવી રમેશભાઇ રબારીએ માંગ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, વખતો વખત અનેક રજુઆતો કરવા છતા પણ પગલા લેવાયેલ નથી તેમજ સ્થાનીક કલેકટરને પણ આ મુદદે અનેક રજૂઆતો કરવા છતા પગલા લેવાતા નથી તેમ રમેશભાઇએ આક્રોશપુર્વક અખબારી યાદીમાં જણાવેલ છે.




Latest News