મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં ગૌચરના દબાણો દુર કરીને બેદરકાર અધિકારી સામે પગલાં લેવા રમેશભાઈ રબારીએ મહેસુલ મંત્રીને કરી રજૂઆત


SHARE







મોરબીમાં ગૌચરના દબાણો દુર કરીને બેદરકાર અધિકારી સામે પગલાં લેવા રમેશભાઈ રબારીએ મહેસુલ મંત્રીને કરી રજૂઆત

મોરબી જિલ્લામાં આવેલ ગૌચરની જગ્યા પર થયેલ દબાણ દૂર કરવા તથા દબાણકર્તા અને તેને સમર્થન કરનાર સ્થાનિક અધિકારી સામે લેન્ડગ્રેબિંટ એકટ હેઠળ ધોરણસર પગલા લેવા રમેશભાઈ રબારીએ મહેસુલ મંત્રીને રજૂઆત કરી છે  

મોરબી જિલ્લામાં મોટા પ્રમાણમાં ગૌચરની રીઝર્વ રાખેલ જગ્યા પર અનધિકૃત દબાણો થયા છે જેના કારણે માલધારી સમાજ ભારે પરેશાન છે. અને પશુઓ માટે ચરિયાણની વ્યવસ્થા નથી ત્યારે આવા ગૌચરો ઉપર સંબંધકર્તા લોકોએ ભારે મોટા પ્રમાણમાં દબાણો કરેલ છે આ બાબત સ્થાનિક જવાબદાર તંત્રની જાણમાં હોવા છતાં આ દબાણો દૂર થતા નથી અથવા તો ઈરાદાપૂર્વક દબાણઓ હટાવવામાં આવતા નથી. જેથી રાજયના મહેસુલ મંત્રીને મોરબીના માલધારી સમાજના આગેવાન રમેશભાઈ રબારીએ લેખીત રજૂઆત કરીને ગૌચરના દબાણો દુર કરાવવા માટે વધુ એક વખત રજૂઆત કરેલ છે.

વધુમાં તેમણે એવિ પણ રજૂઆત કરેલ છે કે, ગૌચરોની જમીનના દબાણો દુર કરી દબાણકર્તાઓ સામે લેન્ડગ્રેબિંગ એકટ હેઠળ પગલા લઈ તેમજ આ દબાણો હોવાનું તેમજ અમુક કિસ્સામાં તો લેખીત ફરીયાદો હોવા છતા દબાણને નજર અંદાજ કરનાર સંલગ્ન અધિકારીઓ સામે પણ લેન્ડ ગ્રેબિંટ એકટ હેઠળ કડક પગલા લેવામાં આવે તેવી રમેશભાઇ રબારીએ માંગ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, વખતો વખત અનેક રજુઆતો કરવા છતા પણ પગલા લેવાયેલ નથી તેમજ સ્થાનીક કલેકટરને પણ આ મુદદે અનેક રજૂઆતો કરવા છતા પગલા લેવાતા નથી તેમ રમેશભાઇએ આક્રોશપુર્વક અખબારી યાદીમાં જણાવેલ છે.






Latest News