માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

 મોરબીના વાલ્મીકિ વિસ્તારમાં સંઘની સામાજીક સમરસતા સમીતી દ્રારા બાલિકા પૂજન કરવામાં આવ્યું


SHARE

















 મોરબીના વાલ્મીકિ વિસ્તારમાં સંઘની સામાજીક સમરસતા સમીતી દ્રારા બાલિકા પૂજન કરવામાં આવ્યું 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સામાજીક સમરસતા સમીતી દ્રારા રામાયણના રચિયતા આદિ કવિ વાલ્મીકી ઋષિની જયંતી નિમિતે મોરબીના વાલ્મીકી વિસ્તારમાં ભવ્ય અને ઐતિહાસીક રીતે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડૉજયંતીભાઈ ભાડેસિયામોરબી જીલ્લાના સંઘચાલક લલિતભાઈ ભાલોડીયાજીલ્લા કાર્યવાહ મહેશભાઈ બોપલીયા, જીલ્લા સમરસતા સમીતીના સુરેશભાઈ કુંડારીયા અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશ અગ્રણી રમેશભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા અને વાલ્મીકી ઋષિની આરતી કરવાની સાથો સાથ વાલ્મીકી સમાજની ૧૫ દિકરીઓના જમણા પગના અંગુઠા ધોઈ તેમની પુજા કરેલ હતી અને ચરણામૃત લીધેલ હતું ત્યાર બાદ મુખ્ય વકતા તરીકે મહેશભાઈ બોપલીયાએ મહર્ષિ વાલ્મીકીજીનું ભારતીય જન સમાજ ઉપર ઘણુ બધુ મોટુ ઋણ છે. તેમને આ દેશને સમતાસમાનતાબંધુતાસમન્વયની ભાવનાનુ નિર્માણ કરવાના રચિયતા હતા. તેત્રાયુગમાં ઘણાં બધા ઋષિઓ હતા છતાં માં સિતા માતાને પ્રભુ રામચંદ્રજીએ વાલ્મીકી ઋષિના આશ્રમમાં તેમના સરક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા તેમના સરક્ષણ હેઠળ સર્વગુણ સંપન્ન અને દરેક દરેક વિધામાં માહિર લવ અને કુશનો ઉછેર થયો હતો.




Latest News