મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

 મોરબીના વાલ્મીકિ વિસ્તારમાં સંઘની સામાજીક સમરસતા સમીતી દ્રારા બાલિકા પૂજન કરવામાં આવ્યું


SHARE







 મોરબીના વાલ્મીકિ વિસ્તારમાં સંઘની સામાજીક સમરસતા સમીતી દ્રારા બાલિકા પૂજન કરવામાં આવ્યું 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સામાજીક સમરસતા સમીતી દ્રારા રામાયણના રચિયતા આદિ કવિ વાલ્મીકી ઋષિની જયંતી નિમિતે મોરબીના વાલ્મીકી વિસ્તારમાં ભવ્ય અને ઐતિહાસીક રીતે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડૉજયંતીભાઈ ભાડેસિયામોરબી જીલ્લાના સંઘચાલક લલિતભાઈ ભાલોડીયાજીલ્લા કાર્યવાહ મહેશભાઈ બોપલીયા, જીલ્લા સમરસતા સમીતીના સુરેશભાઈ કુંડારીયા અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશ અગ્રણી રમેશભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા અને વાલ્મીકી ઋષિની આરતી કરવાની સાથો સાથ વાલ્મીકી સમાજની ૧૫ દિકરીઓના જમણા પગના અંગુઠા ધોઈ તેમની પુજા કરેલ હતી અને ચરણામૃત લીધેલ હતું ત્યાર બાદ મુખ્ય વકતા તરીકે મહેશભાઈ બોપલીયાએ મહર્ષિ વાલ્મીકીજીનું ભારતીય જન સમાજ ઉપર ઘણુ બધુ મોટુ ઋણ છે. તેમને આ દેશને સમતાસમાનતાબંધુતાસમન્વયની ભાવનાનુ નિર્માણ કરવાના રચિયતા હતા. તેત્રાયુગમાં ઘણાં બધા ઋષિઓ હતા છતાં માં સિતા માતાને પ્રભુ રામચંદ્રજીએ વાલ્મીકી ઋષિના આશ્રમમાં તેમના સરક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા તેમના સરક્ષણ હેઠળ સર્વગુણ સંપન્ન અને દરેક દરેક વિધામાં માહિર લવ અને કુશનો ઉછેર થયો હતો.






Latest News