ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત મોરબીના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવાના ગુનામાં શિવમ રબારી સહિત 6 આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આકાશી વીજળી પડતાં મૃત્યુ પામેલા ખેત શ્રમિક પરીવારને ૪ લાખની સહાય ચુકાવાઇ


SHARE













મોરબી જિલ્લામાં આકાશી વીજળી પડતાં મૃત્યુ પામેલા ખેત શ્રમિક પરીવારને ૪ લાખની સહાય ચુકાવાઇ

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં જોગડ ગામે આકાશી વીજળી પડતા યુવાનનું મોત થયું હતું. જેને સહાય અપાવવા માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. વહીવટ તંત્રના પ્રયાસો અને સરકારની સંવેદનશીલતાથી ખેત શ્રમિકના પરીવારને રાજ્ય સરકાર દ્વારા ૪ લાખની સહાય આપવામાં આવી છે.

મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના જોગડ ગામે ગત તા. ૨૬/૬/૨૦૨૪ ના દિવસે વીજળી પડવાનો બનાવ બનવા પામ્યો હતો. આ બનાવમાં આકાશી વીજળી પડતા ખેત શ્રમિક અનિલભાઈ અર્જુનભાઈ નાયકનું અવસાન થયું હતું. આ ઘટનામાં કુદરતી આપત્તિ સહાય યોજના અંતર્ગત સહાય મળવાપાત્ર હોવાથી વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવી છે, જરૂરી દસ્તાવેજો પૂર્ણ કરી મૃતકના વારસદારના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં છે. મોરબીના અધિકારીઓએ વડોદરા જિલ્લાના વહીવટી તંત્રનો સંપર્ક કરી મૃતકના ઘર સુધી પહોંચીને મૃતક અનિલ અર્જુનભાઈ નાયકના માતા જ્યોત્સનાબેન અર્જુનભાઈ નાયકને ૪ લાખની સહાય ચૂકવી હતી






Latest News