મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ
Breaking news
Morbi Today

વાંકાનેરના પીઆઇ ઉપર થયેલ હુમલા પછી લોકોની સલામતિને લઈને અનેક સવાલ !


SHARE













વાંકાનેરના પીઆઇ ઉપર થયેલ હુમલા પછી લોકોની સલામતિને લઈને અનેક સવાલ !

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર શહેર પી.આઈ. પર વાંકાનેર તાલુકાનાં ખાંભાળા પાસે હુમલો થતાં ચકચાર મચી જવા પામી છે અને પ્રજાની સુરક્ષા ની જેની જવાબદારી છે તે પોલીસ તંત્ર જ ખુદ સલામત નથી! તેવો ઘાટ જોવા મળ્યો હતો.

વાંકાનેર શહેર પી.આઈ. બી.જી.સરવૈયા અને તેની ટીમ વાંકાનેર તાલુકાનાં ખાંભાળા ગામે કોઈ બાબતની તપાસ અર્થે ગયા હોય કોઈ અજાણ્યા શખ્સોએ કોઈ કારણોસર પી.આઈ. બી.જી. સરવૈયા અને અન્ય એક વ્યક્તિ ઉપર હુમલો કરી દીધો હતો જેમાં પી.આઈ.ને માથાનાં ભાગે ઈજા પહોંચી હોય વાંકાનેરની પીરમશાયખ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં, જોકે આ બાબતે કવરેજ માટે પહોંચેલા પત્રકારોને ઈજાગ્રસ્ત પી.આઈ.ની તસવીરો લેવા ન દેવાઈ હતી અને કઈ જ બનાવ ન બન્યો હોય તેમ કોઈ વિગત પણ આપવામાં આવી ન હતી ત્યારે વાંકાનેર પંથકમાં હવે પોલીસ અધિકારીઓ પણ સલામત નથી તો આમ પ્રજાની સલામતિનું શું? તેવી દહેશત સાથે અનેક સવાલો ઉઠવા પામ્યા હતાં.






Latest News