મોરબીમાં “અનસ્ટોપેબલ વોરિયર્સ” સંસ્થા રક્તદાન કેમ્પ-માતૃશક્તિ સન્માન સાથે કાર્યરત કરશે
મોરબીના અમરેલી ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ
SHARE
મોરબીના અમરેલી ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબીના માર્ગદર્શન હેઠળ અમરેલી ગામે ઠાકોર સેનાએ ગ્રામ સમિતિ અને અમરેલી ગામ સમસ્ત દ્વારા જમ્મુમાં શાહિદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનાના સુપ્રીપો અલ્પેશજી ઠાકોરની રાષ્ટ્રપ્રેમની વિચારધારા મુજબ આ કાર્યક્રમનું આયોજન સમસ્ત અમરેલી ગામને સાથે રાખી કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાનમાં મોરબી જિલ્લા ઠાકોર સેનાના પ્રમુખ ચતુરભાઈ પાટડીયા, મોરબી ચુવાળિયા ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ બાંભણીયા, તાલુકા પંચાયતના સદસ્ય અને સમાજ અગ્રણી અશ્વિન (તુલશી) પાટડીયા, સમાજ અગ્રણી મહાદેવજી ઠાકોર (રાધનપુર), મનુભાઈ ઠાકોર અને પાટીદાર અગ્રણી વિજયભાઈ, મોરબી શહેર મીડિયા શેલ યોગેશભાઈ, મયુરભાઈ બાબરીયાએ હાજરી આપી હતી અને મહેમાનો દ્વારા દેશભક્તિ, સમાજ, સંગઠ્ઠાન, શિક્ષણ અને સેવાકીય કાર્યક્રમો બાબત તમામ સમાજ સાથે મળી સમાજના ઉત્થાન માટેના કામ કરવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ અમરેલી ઠાકોર સેનાના પ્રમુખ જયદીપભાઈ ઠાકોર, વિપુલભાઈ તેમજ અમરેલી ઠાકોર સેના સમિતિ તમામ યુવાન મિત્રો અને પાટીદાર સમાજના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી