મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી તાલુકા ભાજપના પ્રમુખે તાલુકા સંકલન-ફરીયાદ નિવારણમાં કર્યો પ્રશ્નોનો ઢગલો


SHARE













મોરબી તાલુકા ભાજપના પ્રમુખે તાલુકા સંકલન-ફરીયાદ નિવારણમાં કર્યો પ્રશ્નોનો ઢગલો

મોરબી શહેરની આસપાસના ગામલોકોને જરૂરી વિજળી કનેકશન, હોમ લોન મળતી નથી અને ઘણા ગામના રસ્તા રીપેર કરવાની જરૂર છે જેથી કરીને મોરબી તાલુકા ભાજપના પ્રમુખ દ્વારા આ બાબતે મોરબી તાલુકા સંકલન અને ફરીયાદ નિવારણ સમિતિમાં પ્રાંત અધિકારી સમક્ષ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે.

મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા મોરબી તાલુકા સંકલન અને ફરીયાદ નિવારણ સમિતિમાં પ્રશ્નો રજૂ કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, સરકાર દ્વારા મોરબી નગરપાલીકાને મહાનગરપાલીકાનો દરજજો આપવા નિર્ણય થયેલ છે. જો કે, મહાનગરપાલીકામાં સંભવિત સમાવિષ્ટ ૧૪ ગામો માટે નવા બાંધકામ તથા મંજુરી વાળા બાંધકામ બાબતે સ્પષ્ટ નિયમો જાહેર કરવામાં આવ્યા નથી અને મોરબી શહેરની આસપાસના ગામલોકોને જરૂરી પ્રાથમિક સુવિધા જેવી કે, રહેણાંકમાં વિજળી કનેકશન જે હાલમાં આપવાના બંધ કરેલ છે. જેથી આ બાબતે લોકોને પડતી મુશ્કેલી દુર કરવામાં આવે, મોરબી શહેરની આસપાસના ગામોમાં છેલ્લા ૬ મહિનાથી રહેણાંક મકાનની બેંક લોન (હોમ લોન) જે બેંક દ્વારા આપવાની બંધ કરવામાં આવેલ છે. જેને નિયમાનુસાર ફરીથી શરૂ કરવામાં આવે, ચોમાસા દરમિયાન મોરબી તાલુકાના ગામોના તાલુકા મથકને જોડતા રોડનું સત્વરે સમારકામ (રીપેરીંગ) કરવામાં આવે તેવી ફરિયાદ કરવામાં આવેલ છે




Latest News