સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી તાલુકા ભાજપના પ્રમુખે તાલુકા સંકલન-ફરીયાદ નિવારણમાં કર્યો પ્રશ્નોનો ઢગલો


SHARE





મોરબી તાલુકા ભાજપના પ્રમુખે તાલુકા સંકલન-ફરીયાદ નિવારણમાં કર્યો પ્રશ્નોનો ઢગલો

મોરબી શહેરની આસપાસના ગામલોકોને જરૂરી વિજળી કનેકશન, હોમ લોન મળતી નથી અને ઘણા ગામના રસ્તા રીપેર કરવાની જરૂર છે જેથી કરીને મોરબી તાલુકા ભાજપના પ્રમુખ દ્વારા આ બાબતે મોરબી તાલુકા સંકલન અને ફરીયાદ નિવારણ સમિતિમાં પ્રાંત અધિકારી સમક્ષ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે.

મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા મોરબી તાલુકા સંકલન અને ફરીયાદ નિવારણ સમિતિમાં પ્રશ્નો રજૂ કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, સરકાર દ્વારા મોરબી નગરપાલીકાને મહાનગરપાલીકાનો દરજજો આપવા નિર્ણય થયેલ છે. જો કે, મહાનગરપાલીકામાં સંભવિત સમાવિષ્ટ ૧૪ ગામો માટે નવા બાંધકામ તથા મંજુરી વાળા બાંધકામ બાબતે સ્પષ્ટ નિયમો જાહેર કરવામાં આવ્યા નથી અને મોરબી શહેરની આસપાસના ગામલોકોને જરૂરી પ્રાથમિક સુવિધા જેવી કે, રહેણાંકમાં વિજળી કનેકશન જે હાલમાં આપવાના બંધ કરેલ છે. જેથી આ બાબતે લોકોને પડતી મુશ્કેલી દુર કરવામાં આવે, મોરબી શહેરની આસપાસના ગામોમાં છેલ્લા ૬ મહિનાથી રહેણાંક મકાનની બેંક લોન (હોમ લોન) જે બેંક દ્વારા આપવાની બંધ કરવામાં આવેલ છે. જેને નિયમાનુસાર ફરીથી શરૂ કરવામાં આવે, ચોમાસા દરમિયાન મોરબી તાલુકાના ગામોના તાલુકા મથકને જોડતા રોડનું સત્વરે સમારકામ (રીપેરીંગ) કરવામાં આવે તેવી ફરિયાદ કરવામાં આવેલ છે




Latest News