ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળીયા(મી)ના બગસરા ગામે પ્રાથમિક સુવિધા-રોજગારીને લગતા પ્રશ્નો માટે ધારાસભ્યને રજૂઆત


SHARE













માળીયા(મી)ના બગસરા ગામે પ્રાથમિક સુવિધા-રોજગારીને લગતા પ્રશ્નો માટે ધારાસભ્યને રજૂઆત

માળીયા(મી) ના બગસરા ગામના પ્રાથમિક સુવિધા અને રોજગારીને લગતા પ્રશ્નો માટે ધારાસભ્યને પંચાયત, ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

માળીયા (મી)ના બગસરા ગામની અનેક સમસ્યાઓને લઈને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તથા કલેકટર કચેરીએ અનેક રજુઆત આવેદનપત્ર છેલ્લા ધણા વર્ષો આપવામાં આવે છે પણ કોઈ કામ કરવામાં આવી રહ્યું નથી જેથી કરીને પ્રાથમિક મુદ્દાઓ, રોજીરોટી અને આજીવિકા માટે સતત રજુઆત બાદ હવે ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાને ગામ પંચાયત અને કોળી ઠાકોર સમાજના પ્રમુખ તથા સમાજના અગ્રણીઓના  સહયોગથી અત્યાર સુધીમાં જેટલી રજૂઆતો કરેલ છે તેની નકલોની સાથે ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે.

જેમાં જણાવ્યુ છે કે, આ ગામમાં પીવાનું પાણી પુરતુ આવતું નથી, ભાવપરથી બગસરાને જોડતો રસ્તો કરવામાં આવે અને બાળકોને આગળ અભ્યાસ કરવા માટે શાળાના સમયે એસટી બસની સુવિધા આપવામાં આવે તેવી માંગ કરી છે તે ઉપરાંત અપુરતી વિજળી, ગામમાં મોબાઈલ ઈન્ટરનેટની પુરતિ સુવિધા, ગામમા વિકાસના કામોની ગ્રાન્ટ ફાળવવા, પંચાયતની હદમાં આવતી સરકારી પડતર ખરાબાની જમીનોમાં મંજુરી વગરના રસ્તા બનાવેલ છે તેને બંધ કરાવવા, મોરબી જીલ્લા કલેકટર કચેરીએ ગામના લોકોને રોજીરોટી અને આજીવિકા માટે મીઠું પકવવા જમીન ફાળવી નથી જેથી આ સહિતના પ્રશ્નોને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News