હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીના અમરનગર પાસે કારખાનાના લેબર ક્વાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું


SHARE







મોરબીના અમરનગર પાસે કારખાનાના લેબર ક્વાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું

મોરબી તાલુકાના અમરનગર ગામની સીમ આવેલ કારખાનામાં કામ કરતો અને ત્યાં લેબર કોલોનીમાં રહેતો યુવાન ક્વાર્ટરની અંદર હતો ત્યારે ત્યાં કોઈપણ કારણોસર તેને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની કારખાનેદાર દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ભચાઉ તાલુકાના સમાખીયાળીના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના અમરનગર ગામની સીમમાં આવેલ ઓમ શિવ એન્ટરપ્રાઇઝ નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો દશરથભાઈ બાબુભાઈ કોળી જાતે ઠાકોર (18) નામનો યુવાન પોતાના લેબર ક્વાર્ટરની અંદર હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર તેને લૂંગી વડે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જેથી આ બનાવની જયેશભાઈ ઇશ્વરભાઇ આદ્રોજા જાતે પટેલ (40) રહે. રવાપર રોડ ઉમિયા ચોક અક્ષરધામ એપાર્ટમેન્ટ મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી અને મૃતક યુવાનના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જેથી તાલુકા પોલીસે આપઘાતના બનાવવાની નોંધ કરી યુવાને ક્યા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ શરૂ કરી છે.

મહિલા સારવારમાં

મોરબી નજીકના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા જયાબેન ધીરુભાઈ બાવાજી (40) નામની મહિલા ઘરે હતી ત્યારે ઘરવાળાએ તેને પ્લાસ્ટિકના પાઇપ વડે માર મારતા ઈજા થઈ હતી જેથી તેને 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. અને આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી છે.






Latest News