મોરબી રામધન આશ્રમના મહંત પૂ.ભાવેશ્વરી માતાજી સહિત સંતો-મહંતોની ઉપસ્થિતીમાં હજારો શિવભક્તોએ ફરાળ મહાપ્રસાદનો લાભ લીધો
SHARE
મોરબી રામધન આશ્રમના મહંત પૂ.ભાવેશ્વરી માતાજી સહિત સંતો-મહંતોની ઉપસ્થિતીમાં હજારો શિવભક્તોએ ફરાળ મહાપ્રસાદનો લાભ લીધો
જલારામ મંદિર જલિયાણેશ્વર મહાદેવ ખાતે બરફના શિવલીંગના દર્શન યોજાયા
વિવિધ પ્રકારની માનવસેવા કરતા મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર સ્થિત જણિયાણેશ્વર મહાદેવ પવિત્ર શ્રાવણમાસના પ્રથમ સોમવાર તા.૫-૮ ના રોજ બપોરે ૪ કલાકથી શિવભક્તો માટે બરફના શિવલીંગના દર્શનનુ અનેરૂ આયોજન કરવામાં આવ્યુ હતુ.તે ઉપરાંત પવિત્ર શ્રાવણમાસ દરમિયાન દેવાધિદેવ મહાદેવના અભિષેક માટે ભક્તજનો માટે વિશેષ વ્યવસ્થા કરવામા આવી રહી છે.તે ઉપરાંત દરેક શિવભક્તો માટે ફરાળ મહાપ્રસાદની વ્યવસ્થા યોજવામાં આવી હતી.જેમાં મોરબી રામધન આશ્રમનાં મહંત પ.પૂ.ભાવેશ્વરી માતાજી સહીતના સંતો-મહંતોની ઉપસ્થિતીમાં હજારો શિવભક્તોએ મહાપ્રસાદ લીધો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, ભાવીનભાઈ ઘેલાણી, અનીલભાઈ સોમૈયા, કીશોરભાઈ ચંડીભમર, હીતેશભાઈ જાની, રમણીકભાઈ ચંડીભમર, ચિરાગભાઈ રાચ્છ, નરેન્દ્રભાઈ રાચ્છ, પપ્પુભાઈ ચંડીભમર, કીશોરભાઈ ઘેલાણી, જયંતભાઈ રાઘુરા, નીરવભાઈ હાલાણી, અનીલભાઈ ગોવાણી, પારસભાઈ ચગ, સંજયભાઈ હીરાણી, અમીતભાઈ પોપટ, નરેન્દ્રભાઈ પાંવ, કૌશલભાઈ જાની, કિશનભાઈ પાંવ, દીનેશભાઈ સોલંકી, નીમીષભાઈ કોટક તથા શ્રી જલારામ મંદિર મહિલા મંડળના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.