માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં આવતી કાલે સરદાર પટેલ જયંતિ નિમિતે 'ભ્રષ્ટાચાર બંધ કરો, નવું ભારત બનાવો" વિષયે નિબંધ સ્પર્ધા


SHARE

















મોરબીમાં આવતી કાલે સરદાર પટેલ જયંતિ નિમિતે 'ભ્રષ્ટાચાર બંધ કરો, નવું ભારત બનાવો" વિષયે નિબંધ સ્પર્ધા

મોરબીમાં આગામી સરદાર પટેલ જયંતિ એટલે કે રાષ્ટ્રિય એકતા દિવસનાં અનુસંધાને "આઝાદી કા અમૃત મહોત્સવ" બેંક ઓફ બરોડા તથા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબીનાં સંયુક્ત ઉપક્રમે લોક જાગૃતિ માટે નિબંધ લેખન સ્પર્ધાનું તા.૨૯-૧૦ ના રોજ કરાયેલ છે જેમાં  ''ભ્રષ્ટાચાર બંધ કરો, નવું ભારત બનાવો" વિષય સંદર્ભે નિબંધ લખવાના રહેશે.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગુજરાત સરકાર-ગાંધીનગર દ્વારા માન્ય "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી તથા બેંક ઓફ બરોડા દ્વારાં સરદાર પટેલ જયંતિ (રાષ્ટ્રિય એકતા દિવસ) નિમિતે આઝાદીના ૭૫ વર્ષ નિમિતે ઉજવાઇ રહેલા અમૃત મહોત્સવનાં અનુસંધાને લોક જાગૃતિ માટે આ નિબંધ લેખન સ્પર્ધાનું તા.૨૯-૧૦ ના આયોજન કરવાંમાં આવેલ છે.જેનો વિષય છે "ભ્રષ્ટાચાર બંધ કરો-નવું ભારત બનાવો" આ નિબંધ લેખન સ્પર્ધામાં કૉલેજનાં વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે  નોટ-પેન આપવામાં આવશે અને સ્પર્ધકોને રોકડ ઈનામ પણ આપવામાં આવશે. જેમા પ્રથમ ઈનામ ૧૦૦૧, દ્વિતીય ઈનામ ૭૫૧ અને તૃતીય ઈનામ ૫૦૧ રહેશે.સ્પર્ધા શ્રી એમ. એમ. સાયન્સ કૉલેજ મોરબી-૨ તેમજ શ્રી એમ.પી.પટેલ બી.એડ કોલેજ જોધપુર(નદી) ખાતે તા.૨૯ ના સવારે ૧૦ થી ૧૧ યોજાશે.આપના મિત્રો કે અન્ય ગૃપને આ સ્પર્ધાની  વિગત જરૂર મોકલશો તેમ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીના એલ એમ.ભટ્ટ તેમજ દિપેનભાઈ  ભટ્ટે યાદીમાં જણાવેલ છે.




Latest News