મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં આવતી કાલે સરદાર પટેલ જયંતિ નિમિતે 'ભ્રષ્ટાચાર બંધ કરો, નવું ભારત બનાવો" વિષયે નિબંધ સ્પર્ધા


SHARE













મોરબીમાં આવતી કાલે સરદાર પટેલ જયંતિ નિમિતે 'ભ્રષ્ટાચાર બંધ કરો, નવું ભારત બનાવો" વિષયે નિબંધ સ્પર્ધા

મોરબીમાં આગામી સરદાર પટેલ જયંતિ એટલે કે રાષ્ટ્રિય એકતા દિવસનાં અનુસંધાને "આઝાદી કા અમૃત મહોત્સવ" બેંક ઓફ બરોડા તથા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબીનાં સંયુક્ત ઉપક્રમે લોક જાગૃતિ માટે નિબંધ લેખન સ્પર્ધાનું તા.૨૯-૧૦ ના રોજ કરાયેલ છે જેમાં  ''ભ્રષ્ટાચાર બંધ કરો, નવું ભારત બનાવો" વિષય સંદર્ભે નિબંધ લખવાના રહેશે.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગુજરાત સરકાર-ગાંધીનગર દ્વારા માન્ય "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી તથા બેંક ઓફ બરોડા દ્વારાં સરદાર પટેલ જયંતિ (રાષ્ટ્રિય એકતા દિવસ) નિમિતે આઝાદીના ૭૫ વર્ષ નિમિતે ઉજવાઇ રહેલા અમૃત મહોત્સવનાં અનુસંધાને લોક જાગૃતિ માટે આ નિબંધ લેખન સ્પર્ધાનું તા.૨૯-૧૦ ના આયોજન કરવાંમાં આવેલ છે.જેનો વિષય છે "ભ્રષ્ટાચાર બંધ કરો-નવું ભારત બનાવો" આ નિબંધ લેખન સ્પર્ધામાં કૉલેજનાં વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે  નોટ-પેન આપવામાં આવશે અને સ્પર્ધકોને રોકડ ઈનામ પણ આપવામાં આવશે. જેમા પ્રથમ ઈનામ ૧૦૦૧, દ્વિતીય ઈનામ ૭૫૧ અને તૃતીય ઈનામ ૫૦૧ રહેશે.સ્પર્ધા શ્રી એમ. એમ. સાયન્સ કૉલેજ મોરબી-૨ તેમજ શ્રી એમ.પી.પટેલ બી.એડ કોલેજ જોધપુર(નદી) ખાતે તા.૨૯ ના સવારે ૧૦ થી ૧૧ યોજાશે.આપના મિત્રો કે અન્ય ગૃપને આ સ્પર્ધાની  વિગત જરૂર મોકલશો તેમ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીના એલ એમ.ભટ્ટ તેમજ દિપેનભાઈ  ભટ્ટે યાદીમાં જણાવેલ છે.




Latest News