મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં તહેવાર પૂર્વે મીઠાઈ ફરસાણ દુકાનોમાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરે તેવી માંગ


SHARE

















વાંકાનેરમાં તહેવાર પૂર્વે મીઠાઈ ફરસાણ દુકાનોમાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરે તેવી માંગ 

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરની બજારમાં વેચાતાં મીઠાઈ ફરસાણ જેવા ખાદ્ય પદાર્થોની તંત્ર દ્વારા ક્યારેય પણ ચકાસણી કરવામાં આવતી નથી ત્યારે દિવાળીનાં તહેવાર પુર્વે ફૂડ વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવે અને તંત્ર દ્વારા ભાવ બાંધણું પણ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે

સામાન્ય રીતે તહેવારો પૂર્વે મીઠાઈ ફરસાણ ખાણી  પીણીની દુકાનોમાં તંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવે છે, તેમાં વપરાતા તેલ,ઘી,માવો સહિતની ચીજ વસ્તુઓ શુદ્ધ અને તાજી છે કે નહિ? જો જનઆરોગ્યને હાનિકારક હોય તો આવી ચીજ વસ્તુઓ મીઠાઈ ફરસાણનો તંત્ર દ્વારા તાકીદે નાશ કરવામાં આવે છે, પરંતુ વાંકાનેરમાં આ પ્રકારની ચકાસણીની કામગીરી ક્યારેય પણ તંત્ર દ્વારા કરવામાં આવતી નથી, દિવાળી પૂર્વે ઠેર ઠેર મીઠાઈ ફરસાણનાં હંગામી સ્ટોલ પણ જોવા મળી રહ્યા છે ત્યારે વાંકાનેર તાલુકો મોરબી જીલ્લાનો 101 ગામડાં ધરાવતો સૌથી મોટો તાલુકો છે, હજારો લોકો તહેવાર પર મીઠાઈ ફરસાણની ખરીદી કરે છે ત્યારે હજારો લોકોનાં જનઆરોગ્યને લક્ષમાં રાખી તંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવે તથા મીઠાઈ ફરસાણનું ભાવ બાંધણું પણ કરવામાં આવે તેવી પ્રબળ માંગ શહેરીજનોમાં ઉઠવા પામી છે.




Latest News