મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના આરો પ્લાન્ટના રૂમમાં યુવાને અંતિમ પગલુ ભર્યુ


SHARE







વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના આરો પ્લાન્ટના રૂમમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના આરો પ્લાન્ટના રૂમની અંદર યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને અપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ બિહારનો રહેવાસી અને હાલમાં મોરબીના માટેલ રોડ પર આવેલ ગ્રીન સ્ટોન સિરામિક કારખાનામાં લેબર ક્વાર્ટર માં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો યુવાન વિક્રમ રાજુ શાહ જાતે તૈલી (23) નામનો યુવાન કારખાનામાં હતો ત્યારે કારખાનામાં આરો પ્લાન્ટના રૂમની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને તેને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તે યુવાનના મૃતદેહને વાંકાનેર ની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની રાજુભાઈ માલકીયા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News