ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં મહિલાઓની અનસ્ટોપેબલ વોરિયર્સ સંસ્થા રક્તદાન-માતૃશક્તિના સન્માન સાથે કાર્યરત કરશે


SHARE













મોરબીમાં મહિલાઓની અનસ્ટોપેબલ વોરિયર્સ સંસ્થા રક્તદાન-માતૃશક્તિના સન્માન સાથે કાર્યરત કરશે

મોરબીમાં જરૂરિયાતમંદ લોકોને મદદ રૂપ બનાવ માટે વધુ એક બિન સરકારી N.G.O. અનસ્ટોપેબલ વોરિયર્સનો આગામી દિવસથી પ્રારંભ થઈ રહ્યો છે અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતી નિમિત્તે ૩૧ ઓક્ટોબર ૨૦૨૧ રવિવારના રોજ સવારે વાગ્યે ઉમા ટાઉનશીપ રોડ સરસ્વતી સોસાયટી ખાતે કાર્યક્ર્મ યોજાશે

મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ સંસ્થા સેવા પરમો ધર્મ અને વસુધેવ કુટુંબકમ્ની ઉદાત્ત ભાવના સાથે જરૂરિયાતમંદ સુધી હાથોહાથ લોહી પહોંચાડવા સહાયરૂપ થવું, સંસ્થાનો મુખ્ય હેતુ માનવ સેવાનો છે અને  વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર ઊંચું લાવવાપ્રયત્નો કરવામાં આવશે તેમજ ગરીબ બાળકોને રાહતદરે સ્ટેશનરી આપવી, સાક્ષરતા દર ઉંચો લાવવો, લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે કાર્યો કરવા, સ્ત્રી-સશક્તિકરણને વેગ મળે, સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચે, લોકો સરકારી યોજનાઓને સમજે, લાભ લે તે માટે જાગૃતિના કાર્યક્રમો આ સંસ્થા દ્વારા કરવામાં આવશે અને ૩૧ મી તારીખે માતૃશક્તિ કે, જેમને જીવનમાં ખુબ જ સઘર્ષ વેઠી મુશ્કેલીના સમયમાં આગળ વધીને સમાજમાં મોભાદર સ્થાન પ્રાપ્ત કર્યું છે. એવી માતૃશક્તિનું સન્માન કરવામાં આવશે. સાથેસાથે મહા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ શુભારંભ કાર્યક્રમમાં ડો.જ્યંતીભાઈ ભાડેસિયા પશ્ચિમ ક્ષેત્ર સંઘ ચાલકજી, વિનોદભાઈ ચાવડા સાંસદ કચ્છ, મોહનભાઈ કુંડારિયા સાંસદ, રાજકોટ, મહંત પ્રેમસ્વામી, સંસ્કાર ધામ મોરબી, બ્રિજેશભાઈ મેરજા મંત્રી ગુજરાત સરકાર, દુર્લભજીભાઈ દેથરીયા પ્રમુખ જિલ્લા ભાજપ મોરબી કાંતિલાલ અમૃતિયા પૂર્વ ધારાસભ્ય વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.






Latest News