હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો મોરબીના વિદ્યુત સ્મશાનમાં સફાઈ કામ કરતી મહિલાનું વીજ શોક લાગતા મોત
Breaking news
Morbi Today

ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ મોરબીમાં આવાસ યોજનાના અધૂરા કામની મુલાકત લીધી પછી અધિકારી શું કર્યું ?


SHARE













ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ મોરબીમાં આવાસ યોજનાના અધૂરા કામની મુલાકત લીધી પછી અધિકારી શું કર્યું ?

મોરબીના બાયપાસ રોડ ઉપર આવાસ યોજનાના મકાન બનાવવા માટેનું કામ છેલ્લે ઘણા વર્ષોથી કરવામાં આવી રહ્યું છે જો કે, તે કામ પૂરું કરવામાં આવ્યું નથી ત્યારે જુલાઇના છેલ્લા રવિવારે ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ શક્તિસિંહ ગોહિલ મોરબી આવ્યા હતા ત્યારે મોરબીમાં બની રહેલા આવાસની મુલાકત લીધેલ હતી અને ત્યારે આવાસના અધૂરા કામને જોઈને પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખે ભ્રષ્ટાચારનો ગંભરી આક્ષેપ કર્યો હતો. જોકે તે કામ પૂરું કરાવવા માટે પાલિકાએ શું કર્યું તે જાણવા મળે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ વિજયભાઇ કોટડીયા, યુવા પ્રમુખ સંદિપભાઈ કાલરીયા, જીલ્લા મહામંત્રી ગીરીરાજસિંહ જાડેજા, મોરબી લીગલ સેલનાં પ્રમુખ ભાવીનભાઈ પટેલ સહિતના મોરબી પાલીકાએ આવ્યા હતા અને ત્યાં ચીફઓફીસર પાસેથી કરેલા કામની વિગતો માંગી હતી. અને ત્યારે અધિકારી બે થી ત્રણ દિવસનો સમય માંગ્યો હતો તેવું આગેવાનો પાસેથી જાણવા મળેલ છે આ ઉપરાંત છેલ્લા દિવસોમાં જેટલી પણ રજૂઆતો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે તેને ધ્યાને લઈને શું કામ કર્યું છે તેની પણ માહિતી માંગી હતી અને પાલિકાના કામની ઉઘરાણી કરી હતી. જો કે, હવે કોંગ્રેસ મોરબીના લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે સક્રિય બનેલ છે, તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.






Latest News