મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ મોરબીમાં આવાસ યોજનાના અધૂરા કામની મુલાકત લીધી પછી અધિકારી શું કર્યું ?


SHARE













ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ મોરબીમાં આવાસ યોજનાના અધૂરા કામની મુલાકત લીધી પછી અધિકારી શું કર્યું ?

મોરબીના બાયપાસ રોડ ઉપર આવાસ યોજનાના મકાન બનાવવા માટેનું કામ છેલ્લે ઘણા વર્ષોથી કરવામાં આવી રહ્યું છે જો કે, તે કામ પૂરું કરવામાં આવ્યું નથી ત્યારે જુલાઇના છેલ્લા રવિવારે ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ શક્તિસિંહ ગોહિલ મોરબી આવ્યા હતા ત્યારે મોરબીમાં બની રહેલા આવાસની મુલાકત લીધેલ હતી અને ત્યારે આવાસના અધૂરા કામને જોઈને પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખે ભ્રષ્ટાચારનો ગંભરી આક્ષેપ કર્યો હતો. જોકે તે કામ પૂરું કરાવવા માટે પાલિકાએ શું કર્યું તે જાણવા મળે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ વિજયભાઇ કોટડીયા, યુવા પ્રમુખ સંદિપભાઈ કાલરીયા, જીલ્લા મહામંત્રી ગીરીરાજસિંહ જાડેજા, મોરબી લીગલ સેલનાં પ્રમુખ ભાવીનભાઈ પટેલ સહિતના મોરબી પાલીકાએ આવ્યા હતા અને ત્યાં ચીફઓફીસર પાસેથી કરેલા કામની વિગતો માંગી હતી. અને ત્યારે અધિકારી બે થી ત્રણ દિવસનો સમય માંગ્યો હતો તેવું આગેવાનો પાસેથી જાણવા મળેલ છે આ ઉપરાંત છેલ્લા દિવસોમાં જેટલી પણ રજૂઆતો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે તેને ધ્યાને લઈને શું કામ કર્યું છે તેની પણ માહિતી માંગી હતી અને પાલિકાના કામની ઉઘરાણી કરી હતી. જો કે, હવે કોંગ્રેસ મોરબીના લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે સક્રિય બનેલ છે, તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.






Latest News