મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ મોરબીમાં આવાસ યોજનાના અધૂરા કામની મુલાકત લીધી પછી અધિકારી શું કર્યું ?


SHARE













ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ મોરબીમાં આવાસ યોજનાના અધૂરા કામની મુલાકત લીધી પછી અધિકારી શું કર્યું ?

મોરબીના બાયપાસ રોડ ઉપર આવાસ યોજનાના મકાન બનાવવા માટેનું કામ છેલ્લે ઘણા વર્ષોથી કરવામાં આવી રહ્યું છે જો કે, તે કામ પૂરું કરવામાં આવ્યું નથી ત્યારે જુલાઇના છેલ્લા રવિવારે ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ શક્તિસિંહ ગોહિલ મોરબી આવ્યા હતા ત્યારે મોરબીમાં બની રહેલા આવાસની મુલાકત લીધેલ હતી અને ત્યારે આવાસના અધૂરા કામને જોઈને પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખે ભ્રષ્ટાચારનો ગંભરી આક્ષેપ કર્યો હતો. જોકે તે કામ પૂરું કરાવવા માટે પાલિકાએ શું કર્યું તે જાણવા મળે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ વિજયભાઇ કોટડીયા, યુવા પ્રમુખ સંદિપભાઈ કાલરીયા, જીલ્લા મહામંત્રી ગીરીરાજસિંહ જાડેજા, મોરબી લીગલ સેલનાં પ્રમુખ ભાવીનભાઈ પટેલ સહિતના મોરબી પાલીકાએ આવ્યા હતા અને ત્યાં ચીફઓફીસર પાસેથી કરેલા કામની વિગતો માંગી હતી. અને ત્યારે અધિકારી બે થી ત્રણ દિવસનો સમય માંગ્યો હતો તેવું આગેવાનો પાસેથી જાણવા મળેલ છે આ ઉપરાંત છેલ્લા દિવસોમાં જેટલી પણ રજૂઆતો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે તેને ધ્યાને લઈને શું કામ કર્યું છે તેની પણ માહિતી માંગી હતી અને પાલિકાના કામની ઉઘરાણી કરી હતી. જો કે, હવે કોંગ્રેસ મોરબીના લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે સક્રિય બનેલ છે, તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.






Latest News