રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના રવાપરમાં કાલે હાર્દિક પટેલની હાજરીમાં જનચેનતા સંમેલન યોજાશે


SHARE









મોરબીના રવાપરમાં કાલે હાર્દિક પટેલની હાજરીમાં જનચેનતા સંમેલન યોજાશે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલ કાલે સરદાર પટેલ જન્મજયંતિ નિમિતે મોરબી આવી રહ્યા છે. ત્યારે મોરબીના રવાપર ગામે જન ચેતના સંમેલન યોજાશે જેમાં કોંગ્રેસનાં ધારાસભ્યોએ સહિતના આગેવાનો હાજર રહેશે

મોરબીના રવાપર ગામે સરદાર સમિતિ દ્વારા કાલે તા ૩૧ ઓક્ટોબરના રોજ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની હાજરીમાં જનચેતના સામેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને સરદાર વલ્ભભાઇ પટેલની જન્મજ્યંતિ નિમિતે મોરબીમાં રવાપર ખાતે જનચેતના સંમેલન જે યોજવાનું છે તેમાં ધારાસભ્ય લલિતભાઈ કગથરા, લલિતભાઈ વસોયા, મહમદજાવિદ પીરજાદા, પ્રવીણભાઈ મૂછડિયા, ઋત્વિક મકવાણા, કિરીટભાઇ પટેલ, જીગ્નેશ મેવાણી તેમજ ચિરાગભાઈ કલારિયા સહિતના આગેવાન હાજર રહેવાન છે આ જનચેતના સંમેલનને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી.પડાસુબિયા અને શહેર કોંગ્રેસનાં પ્રમુખ રાજુભાઇ કાવરના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો અને કાર્યકરો દ્વારા તડામાર તૈયારીનો કરવામાં આવી રહી છે






Latest News