મોરબીમાં આવેલ સાર્થક વિદ્યા મંદિરમાં જન્માષ્ટમી પર્વ ઉજવણી
SHARE
મોરબીમાં આવેલ સાર્થક વિદ્યા મંદિરમાં જન્માષ્ટમી પર્વ ઉજવણી
મોરબીમાં આવેલ સાર્થક વિદ્યા મંદિરમાં જન્માષ્ટમીના પવિત્ર પર્વ નિમિત્તે શાળામાં ધો. 1 થી 5 ના કૃષ્ણ અને રાધાના સ્વરૂપ સમાન વિદ્યાર્થીઓએ માટે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ તેની કાલી ઘેલી ભાષામાં જુદીજુદી કૃતિઓ રજૂ કરી હતી. ત્યારે સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું અને દરેક બાળકોએ ખૂબ જ આનંદની મોજ માણી હતી આ કાર્યક્રમને સફળ કરવા બદલ તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ સાર્થક પરિવારના તમામ સભ્યોનો શાળાના સંચાલક કિશોરભાઈ શુકલ દ્વારા સહુને અભિનંદન આપવામાં અવય હતા